કોરોના વાયરસની મહમારીની વચ્ચે દેશમાં એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ છે. કોઈ મોટા કાર્યક્રમ નથી થઈ રહ્યા ત્યારે આ પ્રતિબંધની વચ્ચે શુક્રવારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના દિકરા નિખિલ કુમારસ્વામીના લગ્ન થયા છે. બેંગ્લુરુના રામનગરમાં મોટા શાહી રીતે નિખિલના લગ્ન થયા છે. જ્યાં મીડિયાને પ્રવેશ અપાયો નહોતો. જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. શુ સરકારે જ આ કાર્યક્રમની પરવાનગી આપી હતી. કે પછી કુમારસ્વામીએ લોકડાઉની એંસીતેસી કરી છે. જો એમ હોય તો આમની સામે કોઈ કાયદાકીય પગલા ભરાશે?
લોકડાઉનની સ્થિતિ છતાં શાહી લગ્ન થયા હતા.
એચડી કુમારસ્વામીના દિકરાના બેંગ્લુરુમાં શાહી લગ્ન
લોકડાઉન છતાં જાકમજોળ લગ્ન થયા છે.
લગ્નને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે એક તરફ સમગ્ર દેશમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવાઈ રહ્યા છે . ત્યારે બીજી તરફ આવી વીવીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે.
એચડી કુમારસ્વામીના દિકરી નિખિલે કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચુકેલા કૃષ્ણપ્પાની ભત્રીજી રેવતી સાથે લગ્ન કર્યા છે. રામનગરના એક ફામ હાઉસમાં શાહી લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભલે મીડિયાનો પ્રવેશ રોકવામાં આવ્યો હતો. પરંતુ વેન્યુ પર લગભગ 30-40 ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો.
#WATCH Karnataka: Nikhil Kumarswamy, son of former Karnataka CM HD Kumaraswamy, tied the knot with Revathi, the grand-niece of former Congress Minister for Housing M Krishnappa, today in Ramnagar. (Video source: anonymous wedding guest) pic.twitter.com/5DH9fjNshQ
સ્થાનિક પોલીસનું કહેવું છે કે પરિવાર તરફથી કેટલીક ગાડીઓના રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા હતા. ફક્ત તે જ ગાડીઓને કાર્યક્રમમાં આવવાની પરવાનગી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે કેન્દ્રએ જે ગાઈડલાઈન જાહેર કરી છે. તે મુજબ આ કોઈ મોટા કાર્યક્રમના આયોજનની મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે જ્યારે એચડી કુમાર સ્વામીએ આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે લગ્નને લઈને તમામ પરવાનગી તેમની પાસે છે. તેમજ ડૉક્ટરો પાસેથી પણ અનેક પ્રકારની સલાહ લેવામાં આવી છે.
રાજ્ય સરકાર તરફથી આ લગ્નમાં ફક્ત 70થી 100 લોકોની હાજરીની પરવાનગી આપવામાં આવી હતી. સાથે રાજ્ય સરકાર તરફથી લગ્નની વીડિયોગ્રાફીપણ કરવામાં આવી છે. જેનાથી એ બાબત પર નજર રાખી શકાય કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યુ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં શુક્રવાર સુધીમાં 300થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે 13 લોકોના મોત નિપજ્યા છે.