વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે અને આપણું હિન્દુસ્તાન પણ આ કાળમુખી કોરોના સામે બાથ ભીડાવીને બેઠું છે. કોરોનાથી દેશને બચાવવા માટે દેશમાં હાલ લોકડાઉન છે અને આ લોકડાઉનમાં માનવતાની મહેક ખીલી ઉઠી છે. દેશમાંથી રોજે રોજ એવા અનેક દ્રશ્યો સામે આવે છે જે જોતા જ આપણને થાય કે હજુ માનવતા મરી પરવારી નથી.
રાજકોટનો લેભાગુ વેપારી
આફતમાં રૂપિયા કમાતો વેપારી
દેશ, દેશવાસીઓને તેને નથી પડી
પરંતુ આ જ દેશમાંથી કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે માનવજાતને શરમાવે તેવા છે. આવો જ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પ્રોવિઝન સ્ટોર માલિક આફતના સમયે પણ રૂપિયા કમાવવાનું શોધી રહ્યા છે. લોકો સાથે મોટા પાયે છેતરપિંડી કરી રહ્યા છે.
વેપારી કરી રહ્યો છે કાળો કારોબાર
દેશ જ્યારે કોરોના નામની મહામારી સામે લડી રહ્યો છે. દેશમાં લોકડાઉન છે અને આ લોકડાઉન વચ્ચે માનવતાની મહેક ખીલી ઉઠી છે. અનેક લોકો ભૂખ્યાજનોને ભોજન કરાવી રહ્યા છે. તો કયાંક લોકો માટે ફુડ પેકોટ તૈયાર થઈ રહ્યા છે. તો ક્યાંક ભોજન માટેની કીટ તૈયાર થઈ રહી છે અને લોકો સુધી વેચવામાં આવી રહી છે અને આ બધા દ્રશ્યો ગુજરાતની સાચી ઓળખ દર્શાવી રહ્યા છે. પરંતુ આપણા જ ગુજરાતમાંથી એક એવી પણ ઘટના સામે છે જે ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશ માટે કલંક સમાન છે. વાત છે રાજકોટ શહેરની. જ્યાં શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર આવેલો છે. આ સ્ટોર માલિક તકનો લાભ લઈ મોટા રૂપિયા કમાવવાનો ગોરખધંધો કરી રહ્યા છે.
એક્સપાયરી ડેટવાળા સાબુનું સસ્તામાં કરી રહ્યો છે વેચાણ
તો રાજકોટના આ સાતિર વેપારી આફતના સમયે પણ પૈસાને કોવી રીતે મહત્વ આપી રહ્યો છે અને કોવી રીતે લોકોને ઉલ્લુ બનાવી રહ્યો છે તે પણ તમે ચાર ડેટોલ સાબુનો બાંધો જે કંપની 159 રૂપિયામાં આપી રહી છે. જ્યારે આ વેપારી ચાર સાબુ 149 રૂપિયામાં વેચી રહ્યો છે અને આવુ જ કંઈક તે લાઈફબોય સાબુમાં પણ કરી રહ્યો છે અને કરે પણ કેમ નહીં ?કારણ કે તે માલ જ એક્સપાયર થઈ ગયેલો વેચી રહ્યો છે. એટલે કે તેને જેટલો વકરો એટલો નફો છે.
પરંતુ અહીં વાત લોકોના આરોગ્ય સાથે જોડાયેલી છે. આફતના સમયે જ્યાં લોકો સેનિટાઈઝર, હેન્ડવૉશ ફ્રીમાં આપી સેવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે. કારણ કે આ દેશને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય. ત્યાં શ્રીનાથજી સ્ટોરને માલિક એક્સપાયર થઈ ગયેલું જ હેન્ડવોશને ઉંચ્ચા ભાવે વેચી મોટી કમાણી કરી રહ્યો છે. તેના માટે લોકોનું આરોગ્ય કે આ દેશ મહત્વનો નથી પણ મહત્વના છે રૂપિયા. આવા તો અનેક એકસપાયર થઈ ગયેલા સાબુ અને હેન્ડવોશ તેણે વેચી લોકો સાથે મોટી છેતરપીંડી કરી છે. આ તો સારુ થજો શહેરના એક જાગૃત નાગરિક નિકૅંજ લાખાણીનું જેણે આ આખોય ગોરખધંધો ઉખાડો પાડી દીધો.
કેમરા સામે આપ્યા ગોળ-ગોળ જવાબ
તો જ્યારે અમે શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોરના માલિક અને આખોય ગોરખધંધો ચલાવતા કાનાભાઈ પટેલનો સંપર્ક કર્યો અને તેમને આની વિશે પૂછવાનો પ્રયાસ કર્યો તો તેમણે કોમેરા સામે ગોળ ગોળ જવાબ આપ્યા અને પોતાની ભૂલ પણ સ્વીકારી.