વિશ્વ આખામાં જ્યાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કહેર વચ્ચે 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે લોકડાઉનના પગલે સૌથી વધારે ગરીબ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ શહેર ખાતે પરપ્રાંતિયો માટે શોપિંગ મોલ રેનબસેરા બન્યાં છે.
અમદાવાદમાં કોરોના મહામારી સામે ગરીબો માટે તંત્ર ખડપગે
અમદાવાદના શોપિંગ સેન્ટર બન્યાં ગરીબોના શેલ્ટર હોમ
ઇસ્કોન મોલમાં રસ્તા પર રહેતા 100થી વધુ ગરીબો માટે કરાઇ વ્યવસ્થા
કોરોનાના કારણે 14 એપ્રિલ સુધી લોકડાઉન હોવાના કારણે ગરીબ પરિવારોને પરેશાની થઈ રહી છે. અમદાવાદમાં AMC દ્વારા તમામ પ્રકારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના શોપિંગ સેન્ટરમાં ગરીબોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના ઈસ્કોન મોલમાં રસ્તા પર રહેતા ગરીબો માટે તંત્ર દ્વારા રહેવાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં મોલમાં 100થી વધુ ગરીબ લોકોને આશરો આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નાાન-મોટા કામ કરીને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનના પગલે નાના કામ કરતાં લોકો ગુજરાત છોડીને પોતાના વતન જઇ રહ્યાં હતા ત્યારે પોલીસ અને તંત્રએ આવા લોકોને હંગામી રહેવાની વ્યવસ્થા કરી આપી છે.
અમદાવાદ શહેરમાં આવેલ ઇસ્કોન મોલ આવો લોકોનું શેલ્ટર બન્યું છે. આ મોલમાં ગરીબ લોકો માટે પથારી પાથરવામાં આવી છે. જ્યાં 100થી વધુ લોકોને રહેવાની વ્યવસ્થા કરાઇ છે.
આમ જ્યાં સુધી રાજ્યમાં લોકડાઉન હશે ત્યાં સુધી આ તમામ ગરીબોનું આ શેલ્ટર હોમ સહારો બન્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરનો કોરોનાને લઇને હોટસ્પોટ જાહેર કરાયું છે ત્યારે સરકાર દ્વારા કોઇને પણ તકલીફ ન પડે તે માટે અથાક પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.