હવે લોકડાઉન પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના વાયરસના કહેરે માત્ર લોકોની જીવનશૈલી જ નહીં. ઘણું બધું બદલી નાખ્યું છે. અનેક લોકોની ભૂમિકા પણ બદલી નાખી છે. આ બદલાયેલી ભૂમિકામાં જો સૌથી પહેલું નામ આવે તો તે છે આપણી પોલીસ. સામાન્ય સંજોગોમાં પોલીસનુ કામ કાયદાના રક્ષણનું હોય છે. પરંતુ કોરોના વાયરસના કહેર બાદ પોલીસની ભૂમિકા જાણે ધરમૂળમાંથી બદલાઈ ગઈ છે.
મહાસંકટે બદલી નાખી ભૂમિકા
ન રહ્યા માત્ર કાયદાના રખેવાળ
એ બની ગયા જીવનરક્ષક
દેશમાં હાલ લોકડાઉન પાર્ટ ટુ ચાલી રહ્યો છે. કેમ કે લોકડાઉન એ જ કોરોના સામે લડવા માટેનું કારગર હથિયાર છે. જો કે હવે લોકડાઉન પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના વાયરસના કહેરે માત્ર લોકોની જીવનશૈલી જ નહીં. ઘણું બધું બદલી નાખ્યું છે. અનેક લોકોની ભૂમિકા પણ બદલી નાખી છે. આ બદલાયેલી ભૂમિકામાં જો સૌથી પહેલું નામ આવે તો તે છે આપણી પોલીસ. સામાન્ય સંજોગોમાં પોલીસનુ કામ કાયદાના રક્ષણનું હોય છે.
પોલીસની ભૂમિકા જાણે ધરમૂળમાંથી બદલાઈ
પરંતુ કોરોના વાયરસના કહેર બાદ પોલીસની ભૂમિકા જાણે ધરમૂળમાંથી બદલાઈ ગઈ છે. હવે પોલીસ પર કાયદાના રક્ષણ સાથે લોકોના જીવનના રક્ષણની જવાબદારી પણ આવી પડી છે..હવે પોલીસ માત્ર કાયદાના રખેવાળ નથી રહ્યા હવે તેઓ કોરોના યોદ્ધા પણ બની ગયા છે. લોકડાઉને પોલીસકર્મીઓની જિંદગી બદલી નાખી છે. હાલ પોલીસકર્મીઓ બાર -બાર કલાક ડ્યૂટી કરી રહ્યા છે.
ફરજની સાથે જરૂરીયાતમંદ લોકોની ઠારે છે આંતરડી
લોકડાઉનનું અસરકારક રીતે પાલન કરાવવા માટે પોલીસકર્મીઓએ રોજ રોજ નવા પડકારોનો સામનો કરવો પડે છે. પોલીસ લોકડાઉનનું પાલન કરાવવા માટે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સતત પહેરો ભરી રહ્યા છે. શહેર હોય કે ગામ શેરી હોય કે મહોલ્લો પોલીસ દરેક જગ્યાએ દોડી જઈ રહી છે. સવારે સાત વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી પોલીસ સતત ચોકી કરતી રહે છે. પોલીસની એક ટીમની ડયૂટી પૂરી થાય તે પહેલા બીજી ટીમ તહેનાત થઈ ચૂકી હોય છે. પોલીસે ક્યારેક જનતા સાથે સખતાઈથી પણ વર્તવું પડે છે. તો ક્યારેક આ જ પોલીસ ભૂખ્યા લોકો સુધી ભોજન પહોંચાડીને મિત્ર તરીકે પણ ફરજ બજાવે છે. ચેકપોસ્ટ પર તહેનાત પોલીસ જે રીતે લોકોને રોકવા દીવાલ બની શકે છે તે જ પોલીસ કોઈ દર્દીને હોસ્પિટલ પહોંચાડીન દે ત્યાં સુધી ચેનથી બેસતી નથી. કોરોના સામેના જંગમાં પોલીસે ફૂડ પેકેટ વહેંચવાથી માંડીને ગરીબો સુધી રાશન પહોંચાડવાનો મોરચો સંભાળી લીધો છે. અનેક પોલીસ માટે પોતાના કાર્યકાળમાં આ પ્રકારનો પ્રથમવારનો અનુભવ છે.
લોક ડાઉન દરમિયાન પોલીસ વધુને વધુ કામ કરવું પડી રહ્યું છે અને આપણા પોલીસકર્મીઓએ હસતા હસતા મોરચો સંભાળી રાખ્યો છે. પરંતુ દુખની વાત એ છે કે, આવા પોલીસકર્મીઓ પર કેટલીક જનતા પથ્થરમારો કરતા અચકાતી નથી. જયારે એવા દ્રશ્યો સામે આવે છે ત્યારે નાગરિક તરીતે દુ:ખ ન થાય તો જ નવાઈ.