દેશમાં કોરોનાના કેસ સતત વધીને 9 લાખને પાર પહોંચ્યા છે ત્યારે ફરીથી એકવાર લૉકડાઉનની સ્થિતિ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. દેશના અનેક શહેરોમાં આજથી એક વખત ફરી લૉકડાઉન લાગૂ કરાયું છે. જેમાં પુના, ગ્વાલિયર, કર્ણાટકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અનલૉક બાદ દેશમાં વધતા કોરોના વિસ્ફોટને કાબૂમાં લેવા માટે ફરી એકવાર સરકાર લૉકડાઉનનો વિકલ્પ અપનાવી રહી છે.
દેશમાં અનલોક બાદ બગડી સ્થિતિ
કોરોનાના કેસ વધતાં આજથી અનેક જગ્યાઓએ લાગૂ થયું લૉકડાઉન
દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા પહોંચી 9 લાખને પાર
દેશમાં રોજ વધી રહેલા અને નવા બની રહેલા કોરોનાના કેસના આંકડા ડરાવી રહ્યા ચે. કુલ કેસની સંખ્યા 9 લાખને પાર પહોંચી છે. અત્યારસુધીમાં 93 ડોક્ટર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે સ્થિતિ હજુ વધારે ખરાબ થઈ શકે તેમ છે. એવામાં સવાલ એ છે કે શું અનલૉકથી સ્થિતિ બગડી રહી છે. અનેક રાજ્યોએ કોરોનાને કાબૂમાં લેવા મંગળવાર એટલે કે આજથી ફરીથી લૉકડાઉનનો નિર્ણય લીધો છે. અનલૉકના કારણે જ કોરોના વધુ પ્રસરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
ક્યાં કઈ તારીખ સુધી જાહેર કરાયું છે લૉકડાઉન
કર્ણાટક સરકારે બેંગ્લોરમાં 14 જુલાઈથી 7 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે.
તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ મદુરાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 14 જુલાઈ સુધી લોકડાઉન લંબાવી દીધુ છે.
મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ પુના અને પિંપરી-ચિંચવાડમાં 14 થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાની જાહેરાત કરી હતી.
Karnataka: Shops closed & streets deserted as complete lockdown is being observed in Kalaburagi. District Administration has ordered lockdown in Kalaburagi from 14th to 20th July, to control the spread of #COVID19. pic.twitter.com/rc7xrro4K2
મુંબઇની આસપાસના વિસ્તારોમાં પણ આ જ રીતે લોકડાઉન પાળવાની જાહેરાત કરી છે.
કાશ્મીરના અધિકારીઓએ પણ રવિવારે લોકડાઉનના બીજા તબક્કાનો કડકાઈથી અમલ કરાવતા લાલ ચોકને સંપૂર્ણપણે બંધ કરાવી દીધો હતો. છેલ્લા એક અઠવાડિયામાં અહીં અચાનક કોરોનાના કેસ વધ્યા છે. જેને પગલે શ્રીનગરના અન્ય 67 વિસ્તારો પણ બંધ કરાવાયા છે.
ગ્વાલિયરમાં પણ એક દિવસમાં 191 કેસ આવતાં 1 અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
વારાણસીમાં આજે સાંજે 5 વાગ્યાથી લૉકડાઉન જાહેર કરાયું છે. અહીં સોમથી શુક્ર અડધા દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે. લૉકડાઉનના નિયમો સાંજે 4 વાગ્યા બાદ લાગૂ રહેશે.
અનલૉક વચ્ચે વેપારીઓ આંશિક લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. જેમાં ભાવનગર, જામનગર, બોટાદ, ભરૂચ, માલપુર, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠા, તાપી અને જૂનાગઢમાં હાલ આંશિક લૉકડાઉનનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ST વિભાગ દ્વારા પણ મહત્વનો નિર્ણય
એસ.ટી. વિભાગ દ્વારા પણ મહત્વનો લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદથી સુરત જતી અને અમદાવાદથી વડોદરા જતી ST સેવા બંધ કરવામાં આવી છે. તો વડોદરાથી ભરૂચ જતી ST સેવા પણ બંધ કરવામાં આવી છે.
હિરા બજાર સ્વૈચ્છિક બંધનો રાખવાનો નિર્ણય
હીરા ઉદ્યોગમાં કેસ વધતા 19 જુલાઈ સુધી હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મીની બજાર, માનગઢ ચોક સહિત તમામ સેઈફ બંધ રહેશે. 20 જુલાઈથી આ હીરા બજારના સેઈફ ખોલવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેશે.
પાન-ગલ્લા પર AMCની તવાઈ
અમદાવાદમાં પાન-ગલ્લા પર AMCની તવાઈ બોલાવાઇ છે. નવા નિયમ મુજબ સોલિડ વેસ્ટ વિભાગનું ચેકીંગ હાથ ધરાયું છે. પાન-ગલ્લા પર પીચકારી મારેલ જોવા મળતા કાર્યવાહી હાથ ધરાઇ છે. જોધપુર પાસે સિવાસ પાન પાર્લર સીલ કરાયુ છે. અલગ અલગ ઝોનમાં સોલિડ વેસ્ટનું ચેકીંગ હાથ ધરાયું છે.
આ જિલ્લા અને તાલુકાઓમાં આંશિક લૉકડાઉનનો નિર્ણય
જિલ્લો / તાલુકો
કયા સમયે શું બંધ અને ચાલુ?
ક્યાં સુધી રહેશે અમલ?
બોટાદ
સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે
20 જુલાઈ
જામનગર
ચાની લારી, પાનના ગલ્લા અને દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ચાલુ
20 જુલાઈ
ભાવનગર
- સોની બજાર સવારે 9 થી 4
- ઇલેક્ટ્રિક એસોસીએશન સવારે 9 થી 5
- રેડીમેડ કપડા ઉત્પાદકો સવારે 8 થી 5
- સલૂન વેપારીઓ સવારે 8 થી 5
- જથ્થાબંધ કરિયાણાના વેપારી સવારે 8 થી 2
નવી જાહેરાત સુધી
ભરૂચ
- તમામ દુકાનો સવારે 7 થી 4
- દૂધ અને મેડિકલ સ્ટોર આખો દિવસ ચાલુ
22 જુલાઈ
માલપુર (અરવલ્લી)
સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા
એક અઠવાડીયા માટે
પાલનપુર-ડીસા
- સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી જ બજારો રહેશે ખુલ્લા
- 4 વાગ્યા બાદ તમામ અવર જવર પર પ્રતિબંધ
- જીવનજરૂરિયાતની વસ્તુઓ પર પ્રતિબંધ નહીં
નવી જાહેરાત સુધી
મહેસાણા, ઊંઝા અને ખેરાલુ
- મહેસાણા અને ઊંઝા શહેરમાં બજાર સવારે 8 થી 2 કલાક સુધી જ ચાલુ
- ખેરાલુમાં બજાર સવારે 8 થી સાંજે 4 કલાક સુધી ચાલુ
- ઊંઝા APMC પણ બપોરે 2 કલાકે બંધ
- ખેરાલુમાં સવારે 7 થી 4 વાગ્યા સુધી બજાર ખુલ્લું રહેશે
26 જુલાઈ
ગોધરા અને હાલોલ
સવારે 8 થી 4 સુધી વેપાર ધંધા ચાલુ રહેશે
નવી જાહેરાત સુધી
વ્યારા
સવારે 8 થી બપોરે 2 સુધીજ માર્કેટ ચાલુ રહેશે
નવી જાહેરાત સુધી
જૂનાગઢ
સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો
નવી જાહેરાત સુધી
સુરત
- તમામ દુકાનો સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી
- મેડિકલ,દૂધ ડેરીની દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
- નિયમનું પાલન નહી કરના સામે દંડનીય કાર્યવાહી
- હીરા બજારના મીની બજાર, માનગઢ ચોક સહિત તમામ સેઈફ 19 જુલાઈ(6 દિવસ) સુધી બંધ રહેશે
નવી જાહેરાત સુધી
(20 જુલાઈથી હીરા બજારના સેઈફ ખોલવામાં આવશે)
રાજકોટ
- સોની બજાર સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લા
- બજાર એસોશિએશન સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી દુકાન ખોલશે
- કાપડ બજાર સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી દુકાન ખોલશે
- દાણાપીઠ એસો. સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી દુકાન ખોલશે
નવી જાહેરાત સુધી
કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે જે લૉકડાઉનના નિયમો જાહેર કર્યા છે તે સિવાય દરેક વ્યક્તિએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને પણ મહત્વ આપવાનું રહેશે.