મોદી સરકારે કોરોના સંકટની વચ્ચે દેશમાંથી નિકાસ થતી અમુક દવાઓ પર નિકાસબંધીનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે મોદી સરકાર દ્વારા દવાઓ પર નિકાસબંધી હટાવવાનો નિર્ણય ટ્રમ્પ સાથે વાત કર્યાના બીજા જ દિવસે આવ્યો છે. ટ્રમ્પે વાત કર્યા બાદ ભારત જો દવાઓના ઍક્સ્પોર્ટ પર નિકાસ નહીં હટાવે તો બદલો લેવાની ધમકી પણ આપી હતી.
24 જેટલી દવાઓ પર ભારતે નિકાસબંધી હટાવી
ટ્રમ્પે દવાઓને લઈને આપી હતી ધમકી
ભારતે કહ્યું નિકાસની સ્થિતિના આધારે લેવાશે નિર્ણય
કોરોના વાયરસ મહામારી સામે લડી રહેલી દુનિયામાં આ સમયે સૌથી વધારે ચિંતા લોકોને સારવારની છે. કોરોનાના વિકરાળ સ્વરૂપ સામે લડી રહેલું અમેરિકા મહાસંકટમાં ભારત પાસે મદદ માંગી રહ્યું છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક ધમકીભર્યા શબ્દો પણ વાપર્યા છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને લઈને મચેલા વિવાદની વચ્ચે હવે ભારતે બીજી તરફ 30 દેશોને પણ હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાની જરુર હોઈ ભારતે નિકાસ પરના પ્રતિબંધ હળવા કરી દીધા છે. ભારત સરકારે 12 એક્ટિવ ફાર્માસૂટિકલ ઈન્ગ્રીડિયન્સની નિકાસ પર લગાવેલા પ્રતિબંધ હટાવી દીધા છે. ભારત સરકારે સોમવારે વિટામિન બી1 અને બી12 સહિત 24 દવાઓ પરની નિકાસ પરના પ્રતિબંધોમાં છૂટ આપી છે એટલે કે હવે આ દવાઓની નિકાસ થઇ શકશે. જોકે, પેરાસિટામૉલ અને તેનાથી બનેલી અન્ય દવાઓ પર નિકાસ પ્રતિબંધ પહેલાની જેમ જારી રહેશે.
Central Government has removed restrictions on the export of 12 Active Pharmaceutical Ingredients (APIs) and 12 formulations made from these APIs, with immediate effect: Directorate General of Foreign Trade, Ministry of Commerce and Industry pic.twitter.com/cVRSBm0K0P
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, "અમારી પ્રાથમિકતા દેશમાં આવશ્યક દવાઓનો સ્ટોક રાખવાની છે જેથી આપણા લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે." આને લીધે, ઘણી દવાઓ પર થોડા સમય માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સતત નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 14 દવાઓમાંથી નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે.
ભારતમાં પૂરતો સ્ટોક થશે પછી લેવાશે નિર્ણય
ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે અને કહ્યું છે તે પહેલા ભારતમાં તેની જરૂરિયાતો અને સ્ટોકને જાણવામાં આવે અને પછી તેની સર્વાધિક પ્રભાવને માટે પ્રભાવિત દેશોને મદદ પહોંચાડવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેરાસીટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન વિશે સતત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે, જ્યારે એકવાર ભારતમાં પૂરતો સ્ટોક થશે, ત્યારે તેના આધારે કંપનીઓ દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.
પ્રભાવિત દેશોને કરાશે નિકાસ
વિશ્વ દ્વારા સતત કરવામાં આવતી અપીલ અંગે વિદેશ મંત્રાલય કહે છે કે આ વિનાશ સમયે, અમે આશા રાખીએ છીએ કે વિશ્વ સાથે મળીને લડશે. અમે આ દિશામાં સતત પગલા પણ લીધા છે તેનું ઉદાહરણ એ છે કે આપણે ઘણા દેશોના વિવિધ દેશોના નાગરિકોને બચાવ્યા છે.
વિદેશ મંત્રાલયે કરી આ વાત પણ
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતે પેરાસીટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્વિનનું પણ ધ્યાન રાખવું પડશે કારણ કે કેટલાક પડોશી દેશો સંપૂર્ણપણે આપણા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, તેમને આ દવાઓ લેવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, જરૂરી દવાઓ તે દેશોમાં પૂરી પાડવામાં આવશે, જ્યાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ છે. આવી સ્થિતિમાં આ સ્થિતિને કોઈપણ રીતે રાજકીય બનાવવી નહીં.
ઉલ્લેખનીય છે કે મંગળવારે સવારે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું જેમાં તેઓએ કહ્યું કે જો ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીનના સપ્લાયને શરૂ નહીં કરે તો તે કડક જવાબ આપશે. આ પછી વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસની સ્થિતિ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીની વાતચીત થઈ હતી.