હાલમાં દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે અને સાથે જ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દેશવાસીઓમાં અટકળો હતી કે આ લૉકડાઉન લંબાશે કે નહીં. હાલમાં જ લૉકડાઉનને લઇ કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગોબાએ મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગોબાએ કહ્યું કે હાલનું 21 દિવસનું લોકડાઉન વધારવાની કોઇ યોજના નથી. શક્ય છે કે આ નિવેદન બાદ દેશવાસીઓને રાહત મળશે.
લૉકડાઉનના સમયને લઈને કેન્દ્રીય ગૃહસચિવનું નિવેદન
નહીં લંબાય 21 દિવસનું લૉકડાઉન
દેશવાસીઓને મળી શકે છે મોટી રાહત
I’m surprised to see such reports, there is no such plan of extending the lockdown: Cabinet Secretary Rajiv Gauba on reports of extending #CoronavirusLockdown (file pic) pic.twitter.com/xYuoZkgM5e
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને 24 માર્ચથી 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. આ લૉકડાઉન 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. દરમિયાન, કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સતત ચર્ચા થઈ રહી હતી કે સરકાર 14 એપ્રિલ પછી લોકડાઉન અવધિ લંબાવી શકે છે.
લોકોને મળી શકે છે રાહત
લૉકડાઉનની સમય મર્યાદાને લંબાવવાની અટકળો વચ્ચે કહેવાયું છે કે કેબિનેટ ગૃહસચિવે કહ્યું છે કે હાલમાં લૉકડાઉનની સમય મર્યાદા લંબાવવાનો કોઈ પ્લાન નથી.