મોદી સરકારે 2 અઠવાડિયા સુધી લૉકડાઉન વધાર્યું છે પરંતુ સાથે જ જાહેર કર્યું છે કે આ સમયે પણ રેડ ઝોનમાં પણ ફેક્ટ્રીઓ અને ઓફિસ ખોલી શકાશે. આ તમામ જગ્યાઓએ કેટલાક નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવશે.
સરકારે 2 અઠવાડિયા સુધી વધાર્યું લૉકડાઉન
રેડ ઝોનમાં પણ ફેક્ટ્રી અને એક્સપોર્ટ સંબંધિત ઓફિસ ખોલવાની છૂટ
તમામ છૂટછાટ સમયે કરાશે નિયમોનું કડક રીતે પાલન
સરકારે ગઈકાલે બે અઠવાડિયાના ત્રીજા તબક્કાના લોકડાઉનની જાહેરાત કરી છે જે 17 મે સુધી ચાલશે. જો કે, આ સમયગાળા દરમિયાન ઘણી છૂટ આપવામાં આવી છે. કયા ક્ષેત્રમાં કેટલી છૂટ આપવામાં આવી છે તેનો નિર્ણય ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ ત્રણ ઝોન પર આધારિત હશે. આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને, રેડ ઝોનમાં કારખાનાઓ અને ઓફિસો પણ ખોલી શકાશે, પરંતુ આ સમય દરમિયાન ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે.
રેડ ઝોનમાં શું ખુલશે?
રેડ ઝોનમાં સ્પેશ્યલ ઈકોનોમી ઝોન, એક્સપોર્ટ સંબંધિત યૂનિટ્સ, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપને ખોલવાની મંજૂરી અપાઈ છે.
જરૂરી સામાન જેમકે દવાઓ, મેડિકલ ડિવાઈસ તેને તૈયાર કરવામાં જરૂરી કાચો માલ કે ઈન્ડસ્ટ્રીયલ યૂનિટ્સ ખોલવાની પરમિશન છે.
આઈટી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સને ખોલવાની પરમિશન અપાઈ છે.
જ્યૂટ ઉદ્યોગ અને પેકેજિંગ મટિરિયલ્સને ખોલવાની પરમિશન અપાઈ છે. સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખવું જરૂરી છે.
જો વર્ક્સ સાઈટ પર આવે છે તો કન્સ્ટ્રક્શનને પણ પરમિશન આપવામાં આવી છે.
એકલા અને અલગ ઊભા રહેવા સાથે શેરીની દુકાનો ખોલવાની પરમિશન આપવામાં આવે છે.
ઈ કોમર્સ પ્લેટફોર્મસને ફક્ત જરૂરી સામાનનો વેપાર કરવાની મંજૂરી છે.
પ્રાઈવેટ ઓફિસ 33 ટકા એમ્પલોયી સાથે ખૂલી શકે છે.
આ સિવાય તમામ સરકારી ઓફિસ, ફૂડ પ્રોસેસિંગ યૂનિટ્સ, એગ્રીકલ્ચર એક્ટિવિટી, પ્લાન્ટેશન એક્ટીવિટી, હેલ્થ સર્વિસમાં આયુષ કાર્યકર્તા સામેલ છે, બેંક ઈન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ એક્ટિવીટી, પબ્લિક યૂટિલિટીઝને પરમિશન છે.
ઓરેન્જ ઝોનમાં શું ખુલશે?
રેડ ઝોનમાં જે બાબતોની પરમિશન આપવામાં આવી છે તે સિવાય અહીં ટેક્સી અને કેબની પરમિશન આપવામાં આવી છે. કેબમાં ચાલક સાથે 1 વ્યક્તિની પરમિશન છે. આ સિવાય બંને જિલ્લાની વચ્ચેના આવનજાવન માટેની પરમિશનની પણ જરૂર રહેશે. પર્સનલ કારમાં ચાલક સિવાય 2 અને બાઈક પર પણ 2 લોકોને જવાની પરમિશન છે.
ગ્રીન ઝોનમાં શું ખુલશે?
ગ્રીન ઝોનમાં શાળા, કોલેજ, રેસ્ટોરન્સ, સામાજિક કાર્યક્રમ, મોલ્સ સિવાય દરેક વાતની પરમિશન આપવામાં આવશે. હવે 50 ટકા પેસેન્જર્સ સાથે બસ પણ શરૂ કરાશે.
ગૃહમંત્રાલયે જાહેર કરેલી સૂચનામાં 3 મે પછી 130 જિલ્લાને રેડ, 284ને ઓરેન્જ અને 319 જિલ્લાને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે. દેશના મોટા શહેરોમાં સામેલ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદને પણ રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે.