કોરોના વાયરસ દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ લઇ રહ્યું છે. સમગ્ર દેશમાં લૉકડાઉન થવા છતા કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 600ને પાર થઈ ચૂકી છે. જ્યારે આ વાયરસે 12 લોકોના જીવ લીધા છે. એકલા બુધવારે જ કોરોના સંક્રમિત ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે. પ્રથમ મોત તમિલનાડુ, ત્યારબાદ મધ્યપ્રદેશ અને અમદાવાદ એક-એક દર્દીનું મોત થયું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા મહત્વનો નિર્ણય લેવાય છે.
દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલટેક્સમાંથી મુક્તિ
રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લીધો નિર્ણય
કોરોના વાયરસને લઇને લેવામાં આવ્યો નિર્ણય
કોરોના વાયરસને લઇને રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. તમામ ટોલ પ્લાઝામાં ટોલટેક્સમાંથી મુક્તિ મળી છે. દેશભરમાં ટોલ પ્લાઝા પર ટેક્સ નહીં ભરવો પડે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોરોના વાયરસને ધ્યાને રાખતા દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ટોલને હાલ પુરતો સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ ન માત્ર ઇમરજન્સી સેવાઓમાં થનારી અસુવિધાઓને ઓછી કરશે, પરંતુ મહત્વપૂર્ણ સમય પણ બચાવશે.
In view of #COVID19, it has been ordered to temporarily suspend the collection of toll at all toll plaza across India. This will not only reduce inconvenience to the supply of emergency services but also save critical time: Nitin Gadkari, Minister of Road Transport & Highways pic.twitter.com/aytv1owWX4