કોરોનાના કારણે થયેલા લોકડાઉનની અસર સીધી શાકભાજી પર પડી છે અત્યાર સુધી રૂ. ૫નાં પ્રતિ નંગ વેચાતાં કોબી, દૂધી,અને ફૂલાવરના ભાવ રૂ.૩૦ નંગ દીઠ વેચાઈ રહ્યાં છે અન્ય શાકભાજી બમણા ભાવે રૂ. ૬૦ના પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યાં છે.
કોરોનાના કારણે થયેલા લોકડાઉનની અસર સીધી શાકભાજી પર પડી
શાકની લારીઓને ઊભી ન રહેવા દેવાતી હોઈ દુકાનદારોને તડાકો
લાલચુ વેપારીઓ કોરોનાનો ડર બતાવીને લૂંટ મચાવી રહ્યા છે
અનેક લાલચુ વેપારીઓ કોરોનાનો ડર બતાવીને લૂંટ મચાવી રહ્યા છે. શાકભાજી અને દૂધ જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓની તંગી ન સર્જાય તે માટે લોકો સ્ટોક કરી રહ્યા છે. માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકોની ભીડ જોઈને અમદાવાદમાં શાકભાજીના લાલચુ વેપારીઓ બમણા ભાવ વસૂલી રહ્યા છે. ૨૦ રૂપિયે કિલો વેચાતા બટાકા હવે ૩૫થી ૪૦માં વેચાઈ રહ્યાં છે.
રૂ ૧૦ના કિલો વેચાતાં ટામેટાં રૂ. ૪૦થી ૫૦ના ભાવે વેચાઈ રહ્યાં છે શાકભાજીની તંગી નથી પરંતુ કેટલાક શાકભાજીની લારીવાળા કે ફેરિયાઓને રસ્તા પર ઊભા રહેવા દેતા હોવાના કારણે દુકાનદારો બમણા ભાવ વસૂલી રહ્યા હોવાની ફરિયાદો ગૃહિણીઓ કરી રહી છે.
એક ગૃહિણીએ જણાવ્યું હતું કે કોરોના અને કર્ફ્યૂનો ડર બતાવીને શાકભાજીના વેપારીઓ ડબલ ભાવ વસૂલી રહ્યા છે. છેલ્લા ૪ દિવસમાં જે શાક ૧૫થી ૨૦ રૂપિયે કિલો મળતું હતું તેના ભાવ હવે વધીને ૩૦થી ૪૦ કરી દીધા છે. અમુક છૂટક વેપારીઓ તો ૩ ઘણો ભાવ વસૂલી રહ્યા છે. વધુ એક ગૃહિણીએ જણાવ્યું કે, હું ગઈ કાલે જ માર્કેટ ગઈ હતી.
કોબીજ-ફુલાવર થોડા દિવસ પહેલાં ૧૦ રૂપિયે કિલો હતા. તે હવે ૪૦ થઈ ગયા છે. જ્યારે ભીંડા ૮૦ રૂપિયે કિલો છે અને ગવારનો ભાવ ૧૨૦ રૂપિયે કિલો છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે, હાલ શાકભાજીની આવકમાં કોઈ ઘટાડો થયો નથી. જથ્થાબંધ શાકભાજીના ભાવમાં કોઇ વધારો થયો નથી.