લાંબા સમય સુધી લોકડાઉનને કારણે થતા નુકસાનમાંથી રિકવર થવા અને વૈશ્વિક ખર્ચ ઘટાડવા માટે કેબ સેવા પુરી પાડતી ઉબેરે તેની મુંબઇ ઓફિસ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમ છતાં તેની કેબ સેવાઓ ચાલુ રહેશે. કંપની દ્વારા કર્મચારીઓને ડિસેમ્બર સુધી ઘરેથી કામ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
વૈશ્વિક ખર્ચ ઘટાડવા માટે લેવામાં આવેલ નિર્ણય
તેણે ભારતમાં 600 કર્મચારીઓને કાઢી મુક્યા
કંપનીએ વૈશ્વિક સ્તરે 3,700 કર્મચારીઓને છૂટા કર્યા છે
જો કે, આ વર્ષે સ્પષ્ટ નથી કે કર્મચારીઓને આવતા વર્ષે મુંબઇની બીજી ઓફિસમાં મોકલવામાં આવશે કે કેમ. કંપની મુંબઈમાં પોતાની રાઇડ્સ સેવા ચાલુ રાખશે.
વૈશ્વિક ખર્ચ ઘટાડવા માટે લેવામાં આવેલ નિર્ણય
ઉલ્લેખનીય છે કે લાંબા લોકડાઉનને કારણે કંપનીને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. કંપનીએ આ ખોટને પહોંચી વળવા અને વૈશ્વિક ખર્ચ ઘટાડવા માટે આવા અઘરા નિર્ણયો લેવા પડ્યા હતા. ઉબરે વૈશ્વિક સ્તરે કુલ 6,700 કર્મચારી છે. તેમાંથી તેણે ભારતમાં 600 કર્મચારીઓને કાઢી મુક્યા છે.
કંપનીએ વૈશ્વિક સ્તરે 3,700 કર્મચારીઓને છૂટા કર્યા છે. ગયા મહિને ઉબેરે આ કર્મચારીઓને ઝૂમ દ્વારા એક વીડિયો કોલ કર્યો હતો અને કહ્યું હતું કે કોવિડ -19 રોગચાળો મોટો પડકાર બની ગયો છે અને તેના કારણે સખત નિર્ણયો લેવા પડશે.