કોરોના વાયરસ (Coronavirus) ના વધતા કેસને જોતા સંક્રમણના પ્રકોપથી બચવા માટે રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં 31 માર્ચ સુધી લૉકડાઉન છે. તેથી પ્રાઇવેટ બસ, ટેક્સી, રિક્ષા, ઇ-રિક્ષા સહિત તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે.
દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં 31 માર્ચ સુધી લૉકડાઉન
પ્રાઇવેટ બસ, ટેક્સી, રિક્ષા, ઇ-રિક્ષા સહિત તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ
દિલ્હીમાં લૉકડાઉન તોડનાર પર કાયદાકીય પગલા લેવાનો નિર્દેશ અપાયો
પોલીસ તમામ ગતિવિધિઓ પર દેખરેખ રાખી રહી છે. દિલ્હીમાં લૉકડાઉન તોડનાર પર કાયદાકીય પગલા લેવાનો નિર્દેશ અપાયો છે. ત્યારે દિલ્હી પોલીસે કહ્યું છે કે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને કરફ્યૂ પાસ જારી કરવામાં આવશે.
દિલ્હી પોલીસે કહ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં જરૂરી વસ્તુઓ અને સેવાઓ માટે કરફ્યૂ પાસ જારી કરવામાં આવશે. જે લોકો નોઇડા, ફરીદાબાદ, ગાજિયાબાદ, સોનીપત, ગુરુગ્રામની તરફથી કોઇ જરૂરી સેવાઓ અને વસ્તુઓ માટે જઇ રહ્યા છે તેમને દિલ્હી પોલીસ દ્વારા કરફ્યૂ પાસ લેવો પડશે.
લૉકડાઉનનું ઉલ્લંઘન કરનાર પર થશે કડક કાર્યવાહી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનનું પાલન કરવામાં આવે. જેથી કોરોના વાયરસને ફેલાતો રોકી શકાય. મુખ્યમંત્રી કેજરીવાલે લૉકડાઉનનું પાલન ના કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે લૉકડાઉન તમામ લોકોના ફાયદા માટે છે. તેનાથી કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય છે.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. કેજરીવાલે કહ્યું કે લૉકડાઉનના પહેલા દિવસે એ જોવા મળ્યું કે આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરાવનાર લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આમ કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે જે સુનિશ્ચિત કરવું જરૂરી છે.