દિલ્હીમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 20834 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં 990 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 50 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 523 લોકોના મોત થયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 20834 થઇ
દિલ્હીમાં 24 કલાકમાં નવા 990 કેસ, 50 લોકોના મોત થયા
દિલ્હી સરકારની તરફથી જારી આંકડા મુજબ, ગત 24 કલાકમાં 268 દર્દીઓ સાજા થયા છે. જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 8746 દર્દીઓ સાજા થયા છે. હાલ દિલ્હીમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 11565 છે.
કોરોના વાયરસ મહામારીના વધતા સંકટને પગલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની બોર્ડરને સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ દિલ્હીની બોર્ડરને આવનારા એક સપ્તાહ સુધી સીલ રાખવામાં આવશે. જોકે આ દરમિયાન જેમને પાસ જાહેર કરાયા છે, તેમની એન્ટ્રી કરી શકશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વાસીઓને બોર્ડર ખોલવાને લઇને સૂચનો મંગાવ્યા છે. તેઓેએ કહ્યું કે દિલ્હીના હિસાબે હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની યોગ્ય વ્યવસ્થા છે. પરંતુ અન્ય રાજ્યોના દર્દીઓ આવે છે તો મુશ્કેલી ઉભી થઇ શકે છે. એવામાં તેઓેને શું કરવું જોઇએ? શું તેમને પોતાની બોર્ડર સીલ કરી દેવી જોઇએ અથવા તમામ રાજ્યો માટે ખોલી દેવી જોઇએ.