શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે જો દેશવ્યાપી લૉકડાઉન અને કન્ટેનમેન્ટ ના કર્યું હોત, તો કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં 41 ટકા વધારો થાત અને 15 એપ્રિલ સુધી કોરોનાની ચપેટમાં આવનાર લોકોની સંખ્યા 8 લાખ 20 સુધી પહોંચી જાત.
કોરોના વિરુદ્ધ જંગમાં લૉકડાઉન અને કન્ટેન્ટમેન્ટ કારગર તરીકે
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 7528 સુધી પહોંચી
કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર દુનિયાને બદલી નાંખી છે. હિંદુસ્તાન સહિત ઘણા દેશોએ કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે લૉકડાઉન કરી લીધું છે. હાલ આ જીવલેણ વાયરસથી નિપટવા સૌથી કારગર રીત લૉકડાઉન, કન્ટેનમેન્ટ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ છે. આ બધુ છતાં ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
હિંદુસ્તાનમાં અત્યાર સુધી 7528થી વધારે લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે, જેમાંથી 242 લોકોના મોત થયા છે એમાંથી 643 સાજા થઇ ગયા છે. જો મોદી સરકારે 24 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન ના કર્યું હોત, તો અત્યાર સુધી સ્થિતિ ખૂબ જ ગંભીર થઇ ગઇ હોત.
If India had not implemented either containment or nationwide #lockdown - case growth by 41%, 8.2 lakh #COVID2019 cases by Apr 15
Containment measures but no lockdown - 1.2 lakh cases by Apr 15
— PIB India 🇮🇳 #StayHome #StaySafe (@PIB_India) April 11, 2020
જો માત્ર કન્ટેનમેન્ટ કરવામાં આવ્યું હોત તો 15 એપ્રિલ સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા એક લાખ 20 હજાર સુધી પહોંચી જાત. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં કાલે કોરોના વાયરસથી 40 લોકોના મોત થયા છે, જ્યારે કોરોના ના 1035 નવા કેસ સામે આવ્યા છે.
એમને એવું પણ જણાવ્યું કે કોરોના વાયરસથી નિપટવા માટે ભારતે ઝડપથી તૈયારી કરી છે. દેશમાં 586 COVID19 હોસ્પિટલ અને એક લાખથી વધારે આઇસોલેશન બેડ અને 11 હજાર 500 આઇસીયૂ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં એક લાખ 71 હજાર 718 લોકોની કોરોના તપાસ થઇ ચુકી છે. શુક્રવારે 16 હજાર 564 લોકોની કોરોના તપાસ કરવામાં આવી.
તો બીજી બાજુ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે શનિવારે ગૃહ મંત્રાલયના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને અનુરોધ કર્યો છે કે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને જરૂર અનુસાપ સુરક્ષા પૂરી પાડવામાં આવે.