કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સંકટ અને લોકડાઉનને લઇને મોદી સરકાર આકરા પ્રહાર કર્યાં છે. ન્યાય યોજનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર વિચારે છે કે જો આપણે ગરીબોને રોકડ આપીશું તો તેની અસર આપણી ક્રેડિટ રેટિંગ પર પડશે. પ્રવાસી શ્રમિકોમાં નિરાશાની લાગણી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત ગંભીર બેરોજગારીનો સામનો કરી રહ્યું છે. મેક ઇન ઇંડિયા જેવી સરકારની પહેલની કોઇ અસર જોવા મળી રહી નથી. MSME અને ગરીબોને રોકડની જરૂરિયાત છે, નહીં તો જીવલેણ બનશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર
દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે
ચારેય લોકડાઉનનું પરિણામ બેઅસર સાબીત થયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ લોકડાઉન ફેલ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે PMએ બે મહિના પહેલા કહ્યું હતું કે 21 દિવસમાં કોરોના વાયરસને હરાવી દઇશું. પરંતુ હવે 60 દિવસ બાદ પણ આપણા દેશમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે અને લોકડાઉન હટાવાઈ રહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કેલોકડાઉ સંપૂર્ણ રીતે ફેલ રહ્યું છે. ચાર તબક્કાના લોકડાઉનમાં જે આશા હતી એટલું પરિણામ નથી મળ્યું. રાહુલ ગાંધીએ સરકારને સવાલ કરતા કહ્યું કે સરકાર આગળ શું કરશે. PM શરૂઆતમાં ફ્રન્ટફૂટ પર રમતા હતા પણ હવે બેકફુટ પર છે.
જો કે રાહુલ ગાંધીએ એ કહ્યું કે PMએ ફરી ફ્રંટફુટ પર આવવું પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ગરીબોને મદદ કરવી જોઈએ. જે દેશમાં લોકડાઉન ખુલ્યું ત્યાં કેસ ઘટી રહ્યા છે. પણ આપણા ત્યાં સતત વધી રહ્યા છે. PM મોદી ગરીબો અને ખેડૂતો માટે શું કરી રહી છે તેનો જવાબ આપે.
નેપાળ-ચીનની સરહદ પરના તણાવને લઇને રાહુલના સરકાર પર પ્રહાર
દેશમાં કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીડીયા સાથે વાતચીત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકડાઉનને લઇને પ્રવાસી શ્રમિકોના મામલે ચર્ચા કરી. આ સાથે રાહુલ ગાંધીએ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલ નેપાળ અને ચીન સાથેના સરહદ પરના તણાવને લઇને સવાલ કર્યાં. રાહુલ ગાંધીએ કહ્યું કે સાચું શું છે, સરકાર દેશને સત્ય જણાવે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરહદ પર જે થઇ રહ્યું તેની વિગત દેશ સામે રાખવી જોઇએ.