ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અને નેતા અહેમદ પટેલે કોરોનાના ટેસ્ટને લઇને રાજ્ય સરકારને સવાલના કઠેરામાં ઘેરી છે.
દેશમાં ટેસ્ટ વધી રહ્યા છે અને ગુજરાતમાં ઘટી રહયા છે
કોંગ્રેસના સાંસદ અને નેતા અહેમદ પટેલે ગુજરાત સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે સરકારે કોરોનાના ટેસ્ટ ઓછા કરી દીધા છે. અહેમદ પટેલે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે શા માટે ટેસ્ટ ઓછા કરવામાં આવ્યાં છે.
દેશમાં કોરોના વાયરસને લઇને જ્યારે ટેસ્ટીંગ રેટ વધારવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની જનતાના શા માટે ટેસ્ટ ઓછા કરવામાં આવી રહ્યાં છે. અહેમદ પટેલે રાજ્ય સરકાર પર કોરોનાને લઇને આકરા પ્રહાર કર્યાં છે.
Why is Gujarat government reducing testing? This is very disturbing & is contrary to national policy of increasing tests .
In a pandemic it is important to be honest about the problem rather than trying to conceal it pic.twitter.com/UFAgqz9Jpi
કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાજ્ય સરકાર નિશાન સાધતા કહ્યું કે આવી વિકટ સ્થિતિમાં શા માટે સરકાર વાત છુપાવી રહી છે? આમ કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ગુજરાતમાં કોરોનાના ઓછા ટેસ્ટને લઇને ટ્વિટ કરી આ અંગે જણાવ્યું છે.
શક્તિસિંહ ગોહિલે પણ ટેસ્ટિંગને લઇને સરકાર પર કર્યા પ્રહાર
ઉલ્લેખનીય છે કે આ સાથે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને શક્તિસિંહ ગોહિલે પણ રૂપાણી સરકારને આડેહાથ લીધી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું સરકાર ટેસ્ટ ઘટાડી પોઝિટિવ કેસની સંખ્યા ઓછી કરવાનો ખતરનાક ખેલ કરી રહી છે. હવે તમારી સલામતીની ચિંતા તમે જ કરજો. ગઇકાલે શક્તિસિંહે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો વધારે ન દેખાય તે માટે ઓછાં ટેસ્ટિંગ કરાવામાં આવી રહ્યાં છે. આજે આખા દેશમાં ગુજરાત 6 ટકાના મૃત્યુદરે સૌથી વધારે છે તે દુઃખની બાબત છે. તેમણે કહ્યું ગુજરાતમાં કોરોનાની જે સ્થિતિ છે તે ખૂબ ચિંતાજનક છે.