ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં કોરોના વોરિયર્સમાં પણ પોઝિટિવ કેસ સામે આવતાં તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજામાં 9 પોલીસકર્મીઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.
ભાવનગરના તળાજામાં 9 પોલીસકર્મી થયા હોમ ક્વોરન્ટાઇન
આરોપી મહિલાના સંપર્કમાં આવ્યા હતા પોલીસકર્મી
હત્યા કેસની આરોપી મહિલાના સંપર્કમાં આવ્યા હતા પોલીસકર્મી
ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ભાવનગર જિલ્લાના તળાજામાં 9 પોલીસકર્મીઓ હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ પોલીસ કર્મીઓ આરોપી મહિલાના સંપર્કમાં આવ્યાં હતા.
આ આરોપી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસકર્મીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો. આ 9 પોલીસકર્મીઓ હત્યા કેસની આરોપી મહિલાના સંપર્કમાં આવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા એક 72 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવનો આંકડો 100 ઉપર પહોંચી ગયો છે.