અમદાવાદના સાણંદમાં લોકડાઉનના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં હતા. સાણંદની મુખ્ય બજારમાં સરકારની મંજૂરી વિના જ ખોલી દેવામાં આવી હતી. જેમાં મુખ્ય બજાર ખુલી જતાં લોકોમાં સોશિયલ ડિસ્ટનસ્નો અભાવ જોવા મળ્યો હતો. જેને લઇને માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આ મામલે VTV એ અહવાલ પ્રસારિત કરતા તંત્ર સફાળુ જાગ્યું છે. જેને લઇને કલેકટરે આ મામલે રિપોર્ટ માગ્યો છે.
અમદાવાદના સાણંદમાં બજાર ખુલવાનો મામલો
VTVના અહેવાલ બાદ જાગ્યું તંત્ર
લોકડાઉનના ધજાગરા ઉડતા કલેક્ટરે માગ્યો રિપોર્ટ
પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં બજાર ખુલ્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે બીજી તરફ તમામ દુકાનો ખુલતાં લોકો ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા હતા.
જેને લઇને પોલીસની પણ મોટી બેદરકારી સામે આવી હતી. જો કે આ મામલે VTVએ અહેવાલ પ્રસારિત કરતા તંત્ર સફાળુ જાગ્યું છે. જેને લઇને કલેક્ટરે આ મામલે રિપોર્ટ માગ્યો છે. DDOએ પણ પોલીસ અધિકારીઓને આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે સાણંદમાં મોટી સંખ્યામાં લોકો જાણે કે લોકડાઉન ખુલી ગયું હોય તેમ માર્ગો પર ઉતરી આવ્યા હતા. જ્યારે આ અહેવાલ VTVમાં પ્રસારિત કરવામાં આવ્યો જેના કારણે હવે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.
આ અગાઉ સાણંદમાં લોકડાઉનના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં હતા. સાણંદની મુખ્ય બજાર સરાકારની મંજૂરી વિના જ ખોલી દેવામાં આવી હતી જેને લઇને મુખ્ય બજાર ખુલી જતાં લોકોમાં પણ સોશિયલ ડિસ્ટનસ્નો અભાવ જોવા મળ્યો હતો. લોકો જાણે કોરોના સામે જીત મળી ગઈ હોય તેમ બહાર નીકળી ગયા હતા.
સાણંદની બજારમાં થયેલી ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ સામે આવ્યો હતો કે કે શું કોરોના સામે આ રીતે વિજય મેળવી શકાશે. જ્યાં સુધી લોકો નહીં સમજે ત્યાં સુધી કોરોના સામેની આ જંગ જીતવી મુશ્કેલ છે. ત્યારે આ લોકોને કોણ સમજાવે અને જ્યાં સુધી લોકો પોતાની જાતને સુરક્ષિત રાખતા નહીં શીખે ત્યાં સુધી કોરોનાને હરાવવો મુશ્કેલ છે. ત્યારે આ લોકોને એક જ સલાહ છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. બહાર નીકળીની તમારા અને અન્યના જીવને જોખમમાં ન મુકો.