કોરોના સંકટ / કોરોનાએ સાબરમતી જેલમાં મચાવ્યો હાહાકાર, આજે ફરી 4 કેદી પોઝિટિવ, કુલ 13 લોકો સંક્રમિત

coronavirus lockdown ahmedabad sabarmati jail positive case

ગુજરાતમાં કોરોનાની સૌથી વધારે ભયંકર અસર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સહિત રાજ્ય સરકાર માટે પણ આ ખતરાની ઘંટી સમાન છે. જો અમદાવાદ શહેરમાં કોરોનાને લઇને કોઇ ત્વરિત પગલા ઉઠાવામાં નહી આવે તો આ મહામારીને લઇને ભયંકર પરિણામ ભોગવાનો વારો આવે તેવું દેખાઇ રહ્યું છે. હાલમાં કોરોનાનો કહેર ફરી એક વખત સાબરમતી જેલ પર જોવા મળ્યો છે. જેમાં સાબરમતી જેલમાં વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ