ગુજરાતમાં કોરોનાની સૌથી વધારે ભયંકર અસર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સહિત રાજ્ય સરકાર માટે પણ આ ખતરાની ઘંટી સમાન છે. જો અમદાવાદ શહેરમાં કોરોનાને લઇને કોઇ ત્વરિત પગલા ઉઠાવામાં નહી આવે તો આ મહામારીને લઇને ભયંકર પરિણામ ભોગવાનો વારો આવે તેવું દેખાઇ રહ્યું છે. હાલમાં કોરોનાનો કહેર ફરી એક વખત સાબરમતી જેલ પર જોવા મળ્યો છે. જેમાં સાબરમતી જેલમાં વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
અમદાવાદની સાબરમતી જેલમાં વધુ 4 કેસ પોઝિટિવ સામે આવ્યા
પેરોલ પૂર્ણ કરી આવેલ કેદી કોરોના સંક્રમિત
સાબરમતી જેલમાં કુલ 13 લોકો થયા કોરોના સંક્રમિત
અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં વધુ 4 પોઝિટિવ કેસ આવ્યા છે. સાબરમતી જેલમાં પેરોલ પૂર્ણ કરીને આવેલા કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જેલકર્મી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આમ આ રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ સાથે સાબરમતી જેલમાં કુલ 13 લોકો કોરોના સંક્રમિત થયા છે.
દેશમાં લોકડાઉન 3 ની શરૂઆત થઇ ગઈ છે ત્યારે અમદાવાદ હોટસ્પોટ બની ગયું છે, સૌથી વધુ કેસો ગુજરાતમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલા જોવા મળી રહ્યા છે. જો કે તેમ છતાં લોકડાઉનને લઇને તંત્ર દ્વારા કોઇ કડક અમલવારી કરાવામાં આવી રહી નથી.
શહેરમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા બાદ પણ ઓઢવ, બાપુનગર સહિતના વિસ્તારોમાં રિક્ષા ચાલકો બેફામ થયા છે. અમદાવાદ શહેરમાં મુસાફરોને બેસાડીને રિક્ષાઓ ફરતી થઈ છે.