ગુજરાતમાં કોરોનાનો દિવસે ને દિવસે વધુ વકરતો જોવા મળી રહ્યો છે. રાજ્યનું અમદાવાદ શહેર જાણે મુંબઇને કોરોનાના વાયરસના આંકડાઓને લઇને પછાડી આગળ જવા આતુર હોય તેવી રીતે દોડી રહ્યું છે. કોરોનાને લઇને અમદાવાદ શહેરમાં સતત આંકડાઓ વધી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર માટે પણ તેને કાબૂમાં લેવાને લઇને ચિંતાનો વિષય બની રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના આંકડાઓને ધ્યાનમાં લઇને શહેરને બે ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં શહેરના કેટલાંક વિસ્તારોને રેડ અને કેટલાંકને ઓરેન્જ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે.
કોરોનાના કહેરમાં અમદાવાદ વહેચાયું રેડ અને ઓરેન્જ ઝોનમાં
કોરોનાના કહેરને લઈને અમદાવાદનેરેડ અને ઓરેન્જ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. રેડ ઝોન વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત હોવાથી લોકોએ ઘરથી બહાર નિકળવાનું ટાળ્યું છે. જ્યારે ઓરેન્જ ઝોનમાં આવતા તમામ વિસ્તારોની જનતામાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે. જો ઓરેન્જ ઝોનમાં આવતા વિસ્તારના લોકો ધ્યાન નહી રાખે તો ઓરેન્જ ઝોનને રેડ ઝોન બનતા સમય નહી લાગે.
અમદાવાદમાં તંત્ર દ્વારા 42 વોર્ડને ઓરેન્જ ઝોનમાં જાહેર કરાયા છે. ઓરેન્જ ઝોનના મોટા ભાગના વિસ્તારોમાં શાકભાજી માર્ટેમાં લોકોની ભીડ જોવા મળી. લોકો દરરોજની જેમ આજે પણ સવારે મોર્નિંગ વોક પર નિકળ્યા હતા. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.