ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની સૌથી ભયંકર અસર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટિવ કેસ જેટલા આવે છે તેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં જોવા મળે છે. આમ હવે જનતાની સાથે તબિબોમાં પણ કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. જેમાં જુનાગઢના 5 તબીબોને અમદાવાદ મોકવાના આદેશ કરાયાં બાદ તેમાંથી ત્રણ તબીબોએ રાજીનામાં આપતાં તંત્ર એકશનમાં આવી ગયું છે.
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદને લઈ તબિબોમાં વ્યાપક ડર
અમદાવાદ જવાના આદેશથી જૂનાગઢના 3 તબિબોના રાજીનામા
PGમાં પ્રવેશનું બહાનું આગળ ધરીને તબિબોએ રાજીનામા ધર્યા
એક મળતી પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધારે જોવા મળતાં રાજ્યના તંત્ર દ્વારા અલગ-અલગ શહેરોમાંથી તબિબોને અમદાવાદ જવાના આદેશ આપવામાં આવી રહ્યાં છે. ત્યારે જુનાગઢ ખાતે 5 તબીબોને અમદાવાદ જવાના આદેશ આપવામાં આવ્યાં હતા. જો કે અમદાવાદ જવાના આદેશ બાદ તેમાંથી 3 તબીબોએ રાજીનામું આપતાં તંત્ર એકશન મોડમાં જોવા મળી રહ્યું છે.
આમ અમદાવાદમાં કોરોનાના પ્રકોપ વચ્ચે તબીબોમાં વ્યાપક ડર જોવા મળી રહ્યો છે. તબીબોએ રાજીનામાં પાછળ PG માં પ્રવેશનું બહાનું આગળ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે જુનાગઢના 5 ડૉકટરોને અમદાવાદ મોકલવાનો આદેશ કરાયો હતો.
આ સાથે અન્ય બે મહિલા તબિબોએ પણ કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં ફરજ પર હાજર થવા મુદ્દે રાજીનામું આપ્યું હોવાની વિગત મળી રહી છે. જો કે આ અંગે જુનાગઢ મેડિકલ કોલેજના ડિન ડૉ. રાઠોડે રાજ્ય સરકારને રિપોર્ટ મોકલ્યો છે.