આજથી શરૂ થતાં લોકડાઉન 4.0ના અનુસાર પાન અને બીડી-સિગારેટ તથા ગુટખાની દુકાનો સિવાય સલૂન ખોલવાની મંજૂરી મળી છે. પરંતુ સાર્વજનિક સ્થળોએ સ્મોકિંગની મનાઈ છે. દુકાનોમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરાશે અને દુકાનમાં 1 વખતે 5થી વધુ લોકો ઊભા નહીં રહી શકે. પરંતુ આજે જ્યારે ગુજરાતમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સરકારે તમાકુ અને પાન ગલ્લાની પરમિશન આપી છે. સાથે જ જાહેરમાં તમાકુનું સેવન કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય હેર સલૂનની દુકાનો માટે નિર્ણય બાકી રાખવામાં આવ્યો છે.
આજથી લાગૂ થશે લોકડાઉન 4.0
પાન સિગરેટ તથા ગુટખા અને હેર સલૂનને મળી મંજૂરી
ગુજરાતમાં 2 ઝોનમાં પાન -ગુટખાની દુકાનોને મળી મંજૂરી
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને આજથી લોકડાઉન 4.0 શરૂ થયું છે. ખાસ કરીને તેમાં લોકડાઉન 1થી જે નિયમો ચાલ્યા આવે છે તે જ કાયમ છે. ફક્ત કેટલીક દુકાનો ખોલવાની પરમિશન આપવામાં આવી છે. સાથે જ રાજ્યોને અધિકાર અપાયો છે કે તે કન્ટેનમેન્ટ ઝોનની બહાર માટે નિયમ નક્કી કરી શકે છે કે કઈ દુકાનો ખુલ્લી રહેશે અને કઈ બંધ રહેશે.
લોકડાઉન 4માં અનેક ચીજો છે જે ખુલી જશે. હોમ ડિલિવરી રેસ્ટોરાં ખૂલી જશે. પાન અને સિગરેટની દુકાનો ખુલશે પણ ગુજરાતમાં પણ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પાન ગલ્લા શરૂ કરી શકાશે. સાથે જ તમાકુનું વેચાણ પણ કરી શકાશે. પરંતુ જાહેરમાં તમાકુના સેવન પર કાર્યવાહી કરવામાં આવશે. સાર્વજનિક સ્થળોએ સ્મોકિંગની પરમિશન નથી. દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે અને એક દુકાનમાં 5થી વધારે લોકો રહી શકશે નહીં.
મીઠાઈની દુકાનો અને હેર સલૂન ખોલવા કે નહીં તે રાજ્યો નક્કી કરશે
જો કે મીઠાઈની દુકાન હોય કે વાળંદની દુકાન હોય તેને ખોલવા માટેનો નિર્ણય રાજ્યોને હસ્તક રખાયો છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર રાજ્યો વિચાર કરશે અને પછી નિર્ણય લેશે કે કઈ દુકાનો ખુલ્લી રહેશે અને કઈ બંધ રહેશે.
દિલ્હીમાં આ રીતે લેવાઈ શકે છે નિર્ણય
મળતી માહિતી અનુસાર દિલ્હીમાં સરકાર હાલમાં વાળંદ, સલૂન અને સ્પા ખોલવાના પક્ષમાં નથી. પણ ડીટીસી બસ, રીક્ષા, કેબ પેસેન્જરોને માટે નિયમો સાથે છૂટ આપવામાં આવશે. આ સિવાય સરકાર તમામ ઓફિસ ખોલવા ઈચ્છે છે જ્યાં સ્ટાફની કોઈ પાબંધી રહેશે નહીં.
ગુજરાત સરકાર પણ આ રીતે આપી શકે છે છૂટછાટ
ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો છે કે તે કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક છૂટછાટ આપશે. આ માટે સીએમ વિજય રૂપાણીની સરકાર કન્ટેનમેન્ટ ઝોનનું એક લિસ્ટ તૈયાર કરશે. રૂપાણ સરકાર કન્ટેનમેન્ટ ઝોનની બહાર રિક્ષા, ટૂ વ્હીલર, રેસ્ટોરાંની હોમ ડિલિવરી, દુકાનો ખોલવી, ઉદ્યોગો શરૂ કરવા અને પ્રાઈવેટ ઓફિસ ખોલવા પર વિચાર કરી રહી છે.
ગૃહમંત્રાલયના આદેશ અનુસાર એક રાજ્યથી અન્ય રાજ્યની વચ્ચે મુસાફરો વાહનો અને બસને આવવા જવાની પરમિશન આપવામાં આવે છે. પરંતુ બંને રાજ્યોની સહમતિથી જ તે શક્ય બનશે. આ રીતે સડકના રસ્તે મુસાફરી એકવાર ફરી શરૂ કરાશે. જો કે હોટલ, ધાર્મિક સ્થળો અને તમામ શાળા કોલેજોને 31 મે સુધી બંધ રાખવામાં આવશે. લગ્ન સમારોહમાં 50થી વધુ લોકો સામેલ થઈ શકશે નહીં અને અંતિમ ક્રિયામાં 20થી વધુ લોકો સામેલ થઈ શકશે નહીં.