કોરોના સંકટ અને લૉકડાઉન પર PM મોદી આજે સવારે 11 વાગે લોકસભા અને રાજ્યસભાના ફ્લોર લીડર્સની સાથે વાતચીત કરશે. આ બેઠક પછી લૉકડાઉનની સમયસીમા માટે વિચાર કરવામાં આવશે.
PM મોદી આજે કરશે વીડિયો કોન્ફરન્સ
લૉકડાઉનને લઈને પાર્ટીના ફ્લોર લીડર્સ સાથે કરશે ચર્ચા
લોકસભા અને રાજ્યસભાના ફ્લોર લીડર્સ સાથે કરશે ચર્ચા
PM મોદી આજે પાર્ટીના ફ્લોર લીડર્સ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, આ કોન્ફરન્સમાં લોકસભા અને રાજ્યસભામાં 5થી વધુ સાંસદ છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને PM મોદી અનેક વિસ્તારોના અગ્રણી લોકો સાથે પણ વાતચીત કરી રહ્યા છે.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે કહ્યું કે PM મોદી રાજનીતિક પાર્ટીના નેતાઓની સાથે કોરોના સંકટના મુદ્દે ચર્ચ કરશે. સંસદમાં જે પાર્ટીના પાંચથી વધુ સાંસદ છે, PM મોદી તેમના ફ્લોર લીડર્સ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે.
આ મુદ્દા પર થઈ શકે છે વાત
માનવામાં આવી રહ્યું છે કે PM મોદી આજે ફ્લોર લીડર્સ સાથે કોરોના સંકટથી બહાર આવવા માટે સૂચનો માંગશે. સાથે જ સરકારની તરફથી લેવાયેલા પગલાંની પણ માહિતી આપશે. સાથે જ પીએમ ગરીબ કલ્યાણ યોજના પર પણ વાત થઈ શકે છે. લૉકડાઉનને લઈને પણ ચર્ચા થઈ શકે છે.
82000થી વધુના મોત
કોરોના મહામારીએ દુનિયા સામે મોટું સંકટ ઊભું કર્યું છે. આખી દુનિયામાં હાલ સુધી 14 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. આ બીમારીથી હાલ સુધીમાં 82000થી વધુ લોકોના મોત થયા છે. ભારત સરકાર પણ તેમાં સામેલ છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાના સંક્રમિત કેસ સતત વધી રહ્યા છે.
દેશમાં આટલું ફેલાયું છે સંક્રમણ
દેશમાં કુલ કેસની સંખ્યા 4312 થઈ છે અને કુલ 124 લોકોના મોત થયા છે. જ્યારે 352 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે ત્યારે કેન્દ્ર સરકાર આ લૉકડાઉનને વધારવા માટે નિર્ણય કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ફક્ત મહારાષ્ટ્રમાં લગભગ 1018 લોકો કોરોનાથી સંક્રમિત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા મુંબઈમાં કોરોનાના 642 કેસ છે, જ્યારે 40 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 150 નવા કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોનાં મોત નીપજ્યાં છે.