કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન પહેલાંથી જ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધ મૂકાયો છે. લોકડાઉન 4.0ને લઈને દેશભરમાં ફ્લાઈટ્સ શરૂ કરવાનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર આ બાબતે આવતા અઠવાડિયે નિર્ણય લઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓને અને એરપોર્ટ સંબંધી ઓથોરિટી સાથે વાતચીત શરૂ કરી છે.
ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સને લઈને લેવાશે નિર્ણય
લોકડાઉન 4.0માં શરૂ થઈ શકે છે ફ્લાઈટ્સ
એરપોર્ટના નિયમો અને યાત્રીઓના નિયમોમાં આવી શકે છે ફેરફાર
ઉલ્લેખનીય છે કે સરકારે એરલાઈન્સ કંપનીઓ અને ગ્રાહકોને વાણિજ્ય અને ટેકનિકલ તૈયારીઓ માટે 10 દિવસનો સમય આપવાનો વિચાર કર્યો છે. સરકાર અને હવાઈ સેવાના વરિષ્ઠ અધિકારીઓને આશા છે કે આવનારા એક મહિનાના સમયે થોડા સમયે એક કર્મશિયલ ફ્લાઈટ્સ શરૂ કરી શકાશે.
ક્યાં ક્યાં શરૂ થશે ફ્લાઈટ્સ
શરૂઆતમાં એર ઈન્ડિયા દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને માટે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાની આશા છે. હાલમાં ફક્ત આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સ ચાલી રહી છે. એક વાર ફરી ડોમેસ્ટિક રૂટ પર પૂરતી સંખ્યામાં ફ્લાઈટસ શરૂ કર્યા બાદ અન્ય પર્સનલ એરલાઈન્સને તેમની ફ્લાઈટ્સને માટેની પરમિશન મળી શકે છે. એ પણ ફક્ત ગ્રીન ઝોન માટે જ રહેશે.
આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સ ક્યારથી શરૂ થશે
હાલમાં કેન્દ્ર સરકારનું ધ્યાન ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવા માટે છે. અધિકારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રિય વિમાન સેવા શરૂ કરવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. જે દેશની વચ્ચે વિમાન સેવા શરૂ કરવામાં આવશે તે દેશની કોરોના સંક્રમણની સ્થિતિની તપાસ કરવામાં આવશે. તેના પછી જ અલગ અલગ દેશ માટે વિમાન સેવા ફરી શરૂ કરી શકાશે.