રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મળતા આંકડા મુજબ દેશમાં બુધવારે કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 80 લાખને પાર થઈ ગઈ છે. જો કે આંકડા જણાવે છેકે ભારતમાં કોરોનાની સ્પીડ ઓછી થઈ રહી છે. જેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે છેલ્લા 10 લાખ કેસ 18 દિવસમાં આવ્યા છે.જો કે દિલ્હી અને કેરળ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા સ્પીડ પકડી રહી છે. ત્યારે આવનારા તહેવારોમાં કોરોનાના કેસ વધવાની શક્યતા વધારે છે.
ભારતમાં 7 ઓગસ્ટના સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર થઈ
છેલ્લા 10 લાખ કેસ 18 દિવસમાં આવ્યા
11 ઓક્ટોબરથી 28 ઓક્ટોબરની વચ્ચે આવ્યા 10 લાખ કેસ
ઉલ્લેખનીય છે કે ભારતમાં 7 ઓગસ્ટના સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર થઈ હતી. 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે સંક્રમિતોની સંખ્યા 40 લાખની ઉપર પહોંચી ગઈ હતી. ત્યારે 16 સપ્ટેમ્બરે કોરોનાના મામલા 50 લાખને પાર, 28 સપ્ટેમ્બરે 60 લાખ અને 11 ઓક્ટોબરે 70 લાખને પાર થઈ ગઈ હતી. ત્યારે છેલ્લા 10 લાખ કેસ 18 દિવસ એટલે કે 11 ઓક્ટોબરથી 28 ઓક્ટોબરની વચ્ચે આવ્યા છે.
દુનિયાભરના કોરોનાના ડેટાનું સંકલન કરનારી જોન્સ હોપકિન્સ યૂનિવર્સીટીના જણાવ્યાનુંસાર બ્રાઝિલ અને અમેરિકા બાદ ભારત સૌથી ઝડપથી રિકવરી કરનારો દેશ બન્યો છે. JHU ના આંકડા મુજબ કોરોનાના કેસ ભારત, અમેરિકા બાદ બીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. જ્યારે કુલ મોતના મામલામાં આ અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા સ્થાન પર છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જારી આંકડા મુજબ દેશમાં એક દિવસમાં કોરોનાના 49,881 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના મામલા વધીને 80, 40, 203 થઈ ગયા છે. ત્યારે 517 અને લોકોના મોત થવાથી આ મહામારીના કારણે મરનારાની સંખ્યા વધીને 1, 20, 527 થઈ ગઈ છે. આ મુજબ દેશમાં અત્યાર સુધીમાં 73, 15, 989 દર્દીઓ કોરોના મૃક્ત થયા છે.
દેશમાં અત્યારે 6,03,687 લોકો કોરોના ગ્રસ્ત છે. જે કુલ કેસના લગભગ 7.64 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યાનુંસાર 28 ઓક્ટોબર સુધી કુલ 10,65,63,440 નમૂનાની કોરોનાની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 10, 75, 760 નમૂનાઓનું પરિક્ષણ બુધવારે કર્યુ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં એક દિવસમાં પહેલીવાર 5000 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ કેસ 3,70,014 થઈ ગયા છે.