કોરોના વાયરસની નવી લહેરના કારણે દેશમાં સ્થિતિ દિનપ્રતિદિન બગડતી જઈ રહી છે, આ સ્થિતિની વચ્ચે આજે પણ કોરોનાના 2,34,692 નવા કેસ સામે આવ્યા હતા, અને 1341 લોકોના મોત થયા છે.
કોરોનાના કેસોની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
આજે ઘણા રાજ્યોમાં નોંધાયા રેકોર્ડબ્રેક કેસ
કોરોના કેસોની સંખ્યા વધી, મોતનો આંકડો પણ વધ્યો
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.34 લાખ જેટલા કેસ આવ્યા છે અને સાથે જ 1341 લોકોના મોત પણ થયા છે, મહત્વનું છે કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, દિલ્હી વગેરે જગ્યાએ રેકોર્ડબ્રેક કેસ આવતા હેલ્થ સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે, આ રાજ્યોમાં નાઈટકર્ફ્યૂ, અમુક શહેરોમાં વીકેન્ડ લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉન જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે.
મુંબઈમાં આજે 8500થી વધુ કેસ, યુપીમાં કર્ફ્યૂ
મહરાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા, છેલ્લા 24 કલાકમાં અહીં 8834 નવા કેસ સામે આવ્યા હતા અને 52 લોકોના મોત પણ થયા હતા, હાલમાં અહીં 87,369 એક્ટિવ કેસ છે. ઉત્તર પ્રદેશમાં આજથી 35 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, સાથે જ અહીં 10 નવા ઓક્સિજન પ્લાન્ટ લગાડવાનો સીએમ યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો છે.
મુંબઈમાં સૌથી વધુ 5.70 લાખ કોરોનાના કુલ કેસ સામે આવઇ ચૂક્યા છે, અને અહીં હાલમાં ત્યાં 86,433 એક્ટિવ કેસ છે. પુણેમાં સૌથી વધુ એક્ટિવ કેસની સંખ્યા 1,20,452 છે. થાણે, પાલઘર, કોલ્હાપુર, સોલાપુર, નાસિક અને અહેમદનગરમાં વધુ દર્દીઓ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો
મહારાષ્ટ્રમાં કોરોના કેસોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, શનિવારે છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં 67,123 નવા કેસ મળી આવ્યા છે. આ સમય દરમિયાન 419 દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 56783 દર્દીઓ પણ સ્વસ્થ બન્યા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 6,47,933 પર પહોંચી ગયા છે. જ્યારે તંદુરસ્ત લોકોની કુલ સંખ્યા 30,61,174 પર પહોંચી ગઈ છે. કોરોનાથી થતાં મૃત્યુની કુલ સંખ્યા વધીને 59,970 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કુલ બે કરોડ 35 લાખ 80,913 ટેસ્ટ થયા છે, જેમાંથી 37,70,707 પોઝિટિવ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં 55 લાખ 72 હજાર 584 લોકો હોમ કવોરંટીન તરીકે છે, જ્યારે 25 હજાર 625 લોકો સંસ્થાગત કવોરંટીન છે.
બિહારમાં 7870 નવા કેસ
બિહાર જેવા રાજ્યોમાં પણ હવે કોરોનાના કેર વધી રહ્યો છે, રાજધાની પટણા અને અન્ય જિલ્લાઓમાં પણ સરકારી હોસ્પિટલોમાં અત્યારથી જ બેડ ન મળવાના અહેવાલઓ આવવા લાગ્યા છે, છેલ્લા 24 કલાકમાં અહીં 7870 કોરોના કેસ નોંધાયા હતા અને એક્ટિવ કેસ 39,497 છે.
રાજસ્થાનમાં પણ વધ્યા કેસ
અહીંની કોંગ્રેસ સરકાર દ્વારા પહેલાથી જ આ મામલે તમામ શહેરોમાં સાંજે 6 થી સવારના 6 સુધીનો કર્ફ્યૂ લાદી દીધો છે, જો કે તો પણ અહીં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અહીં 9000 જેટલા કેસ આવ્યા છે અને 37 લોકોના મોત થયા છે.
શું છે કર્ણાટકના હાલ ?
કર્ણાટકમાં મુખ્યમંત્રી યેદીયૂરપ્પાને બીજી વાર કોરોના સંક્રમણણની પુષ્ટિ થઈ છે અને અહીં પણ કોરોનાના કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો છે, છેલ્લા 24 કલાકમાં અહીં 17,489 નવા કેસ નોંધાયા છે અને બેંગાલુરુમાં જ 11,404 કેસ મળી આવ્યા છે. 80 લોકોના મોત થયા છે.
કેરળમાં 13,855 નવા કેસ
કેરળમાં પણ છેલ્લા 24 કલાકમાં 13,835 નવા કેસ નોંધાયા છે અને આજે 27 લોકોના મોત થયા છે, મહત્વનું છે કે ચૂંટણી ધરાવતા પાંચ રાજ્યોમાંથી એક કેરળ પણ હતું.
આંધ્ર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં આ દક્ષિણી રાજ્યમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી છે, અહીં આજે 7224 નવા કેસ આવ્યા છે અને 15ના મોત થયા છે.
MPમાં લોકડાઉન વધારવામાં આવ્યું
રાજધાની ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈનમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે, અહીં ક્રાઇસીસ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે લોકડાઉન 19 એપ્રિલથી વધારીને 26 એપ્રિલ સુધી કરી દેવામાં આવે, જે 26 એપ્રિલ સવારના 6 સુધી માન્ય રહેશે, અને સાથે જ જે છૂટછાટ આ લોકડાઉનમાં મળી રહી હતી તે પણ નહીં અપાય. ભોપાલમાં સરકારી કચેરીઓ બંધ રહેશે.