ભારતમાં કોરોનાવાયરસ ચેપ ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે સાંજે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5 લાખને વટાવી ગઈ છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,90,401 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃતકોની સંખ્યા 15300 વટાવી ગઈ છે.
દિલ્હીમાં કોરોનાના કેસ છેલ્લાં 24 કલાકમાં 3460
દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર
રિકવરી રેટ 58.24 ટકા પર પહોંચી ગયો
આવામાં દેશમાં આજે નવા આંકડા આવતા કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે. જો કે બીજી બાજુ 2,85,637 દર્દીઓએ આ ખતરનાક વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે.
એક દિવસમાં આજે આવ્યાં સૌથી વધુ કેસ અને મોત
છેલ્લા 24 કલાકથી, તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન દેશમાં સૌથી વધુ 17296 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં આ સૌથી વધુ કેસ છે. આ સમય દરમિયાન 407 લોકોનાં મોત પણ થયાં હતાં. રિકવરી રેટના આંકડામાં સુધારો થયો છે. જે 58.24 ટકા પર પહોંચી ગયો છે.
દિલ્હીમાં 77000ને પાર
દિલ્હીમાં કોરોનાના કેસ છેલ્લાં 24 કલાકમાં 3460 આવતા કુલ આંકડો 77000ને પાર થયો હતો.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 5024 કેસ સામે આવ્યા છે જ્યારે 175 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. નોંધનીય છે કે આ મોતના આંકડામાંથી 91 મોત 48થી 84 કલાક પહેલાની છે પણ આંકાડા નોંધાયા ના હતા.
ગુજરાતમાં પણ કેસ 30 હજારને પાર
ગુજરાતમાં પણ સતત કેટલાક દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 580 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 30,158 પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે 14માં દિવસે કોરોનાના વાયરસના 500થી વધુ કેસ નોંધાયા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે.
અમદાવાદમાં માત્ર 3401 જ એક્ટિવ કેસ
ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાએ ભરડો લીધો છે, દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે તો અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ કેસ 20058 નોંધાયા છે જેમાંથી 1398 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 15,259 લોકો કોરોનામુક્ત થયાં છે. તો ખુશીની વાત એ છે કે, અમદાવાદમાં હવે માત્ર 3401 જ એક્ટિવ કેસ બચ્યાં છે.