કોરોના વાયરસના કારણે ચીન અત્યારે દુનિયાભરના નિશાને છે ત્યારે ભારતીય વૈજ્ઞાનિક દંપત્તિએ કોરોના વાયરસના ઉદ્ભવને લઈને મોટો ખુલાસો કર્યો છે.
દુનિયાભરમાં ફેલાયો ભયંકર કોરોના વાયરસ
કોરોનાના ઉદ્ભવને લઈને આજ સુધી અસમંજસ
ભારતીય વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
કોરોના વાયરસના કારણે દુનિયાભરના માનવોએ ભયંકર મહામારીનો સામનો કરવો પડ્યો છે. ચીનમાં પેદા થયેલી આ બીમારીના કારણે ચીન પર કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે. કોરોના વાયરસ કઈ રીતે ફેલાયો તે માટે WHOથી લઈને દુનિયાની મોટી મોટી સંસ્થાઓ કામે લાગી ગઈ છે ત્યારે આશંકા છે કે ચીનની લેબમાંથી જ કોરોના વાયરસ ફેલાયો છે. જોકે ચીન આ મુદ્દે વારંવાર સ્પષ્ટતા કરતું આવ્યું છે પરંતુ હવે ભારતના જ વૈજ્ઞાનિકો દ્વારા ચીનના દાવાની પોલ ખોલવામાં આવી છે. જોકે દુનિયાભરમાં કોરોના વાયરસના ઉદ્ભવને લઈને જુદા જુદા દાવ કરવામાં આવ્યા છે પરંતુ ઉદ્ભવ થયો ક્યાંથી તેની વાસ્તવિકતા પર હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી.
કોરોના વાયરસના કારણે ચીન અત્યારે દુનિયાભરના નિશાને છે ત્યારે ભારતીય વૈજ્ઞાનિક દંપત્તિએ કોરોના વાયરસના ઉદ્ભવને લઈને મોટો ખુલાસો કર્યો છે. ભારતના આ વૈજ્ઞાનિકોને દાવો છે કે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી જ કોરોના વાયરસ લીક થયો હતો. પૂણેમાં રહેતા વૈજ્ઞાનિક ડૉક્ટર રાહુલ બાહુલિકર તથા તેમના પત્ની ડૉક્ટર મોનાલીએ આ ખુલાસો કર્યો છે. રાહુલ અને મોનાલીએ દુનિયાના અનેક લોકો પાસેથી આ મુદ્દે પુરાવા ભેગા કર્યા છે.
ડૉક્ટર દંપત્તિએ એક ગ્રુપ બનાવ્યું છે જેનું (decentralised radical autonomous search team investigating covid-19) નામ આઆ[વામાં આવ્યું છે. આ લોકોનું માનવું છે કે કોરોના વાયરસ ચીનના સી ફૂડ માર્કેટ નહીં પણ લેબમાંથી આવ્યો છે.
પૂણેના આ ડૉક્ટર દંપત્તિ ચાઇનીઝ એપીડેમિક પેપરનું પણ અનુવાદ કરી રહ્યા છે જેની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી જેમાં ખાણમાં કામ કરતાં લોકો મરી ગયા હતા. તેના ગુપ્ત દસ્તાવેજાના આધારે આખી તપાસ કરવામાં આવી રહી છે. દાવો છે કે તે શ્રમિકોની મોત ખાણની ફંગસના કારણે થઈ હતી જે ચામચીડિયાના કારણે ફેલાયો હતો.
એક રિપોર્ટ અનુસાર ચીનના વાયરોલોજી ઇનસીટયૂટના 2015-17ના પેપરમાં દરેક વાતનો ઉલ્લેખ છે કે ખૂબ જ ખતરનાક પ્રયોગ હતા જેના કારણ વાયરસ વધુમાં વધુ સંક્રામક થઈ ગયો છે. રિપોર્ટની થીયરી અનુસાર લેબની ભૂલના કારણે કોરોના વાયરસનો વિસ્ફોટ થઈ ગયો.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને પણ લેબમાંથી જ વાયરસ ફેલાયો છે કે કેમ તેની તપાસ કરવાના આદેશ આપી દીધા છે અને 90 જ દિવસમાં તપાસના રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું છે.