જો નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19) એક વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લે છે તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવી શકે છે. મૂડીઝ એનાલિટિક્સ દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે.
કોરોનાનો કહેર ચીન બહાર ઘણા દેશોમાં ફેલાયો
કોરોનાના કારણે દુનિયાની ઇકોનોમીમાં આવી શકે છે મંદી
અમેરિકાની રેટિંગ એજન્સી મૂડીઝે આપી ચેતવણી
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો કહેર હવે ચીનની બહાર પણ ફેલાય ચૂક્યો છે અને દક્ષિણ કોરિયામાં પણ તેની મોટી સંખ્યામાં મોત નિપજ્યાં છે. આ સિવાય કોરોના ઇટાલી, ઇરાન સુધી પહોંચી ગયો છે.
શુ કહ્યું મૂડીઝ રેટિંગ એજન્સીએ....
મૂડીઝ રેટિંગ એજન્સીએ કહ્યું કે આ વાયરસ હવે ઇટાલી તેમજ કોરિયા સુધી પહોંચી ગયો છે. એવામાં જો તે વૈશ્વિક રોગચાળો તરીકે ફેલાય શકે તેવી પૂરી સંભાવના છે. મૂડીઝ એનાલિટિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જાંડીના જણાવ્યાં અનુસાર કોરોના વાયરસના પ્રભાવ અને પરિદ્રશ્યો પર એક ટીપ્પણી કરતાં કહ્યું કે કોરોના વાયરસ ચીનની અર્થવ્યવસ્થા માટે મોટો ઝટકો છે, જે હવે પૂરી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખતરા (ભય) સમાન બની ગયો છે.
ચીનમાં સતત કોરોના વાયરસ વધી રહ્યો જેને લઇને હવે વૈશ્વિક રોગચાળા તરીકે વધી શકે છે. જો વાયરસે વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું તો આ વર્ષની પ્રથમ છ માસિક દરમિયાન વૈશ્વિક અને અમેરિકા મંદીનુ કારણ બનશે. મૂડીઝના એનાલિટિક્સે કહ્યું, આપણે બધા આશા કરીએ કે આવું ન બને, પરંતુ જો થઇ જાય તો તૈયાર રહેવું જ એક સમજદારી છે.
શું થઇ છે અસર
વાયરસના કારણે ચીનનો વેપાર એક રીતે જોઇએ તો ઉભો (stop) થઇ ગયો છે. અહી પર્યટન વિભાગ પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. વૈશ્વિક એરલાયન્સ ચીનમાં જઇ રહ્યાં નથી અને વધારે સમુદ્રી જહાજોમાં પણ એશિયા-પ્રશાંત માર્ગોને રોકી દીધા છે.