લદ્દાખ, ઓડિશા, જમ્મુ- કાશ્મીરમાં 1-1, કર્ણાટકમાં 2 અને કેરળમાં કોરોના વાયરસના 3 નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે દેશમાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા 126 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 39 કેસ સામે આવ્યા છે.
લદ્દાખ, ઓડિશા, જમ્મુ- કાશ્મીરમાં 1-1, કર્ણાટકમાં 2 અને કેરળમાં 3 નવા કેસ
આઈએનઈ એડવાઈઝરી જાહેર, પીએમએ બચાવાના ઉપાય શેર કરવા કર્યુ
ધર્મગુરુઓને મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમ ન કરવા અપીલ
3 વર્ષની બાળકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે
લદ્દાખ, ઓડિશા, જમ્મુ- કાશ્મીરમાં 1-1, કર્ણાટકમાં 2 અને કેરળમાં કોરોના વાયરસના 3 નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે દેશમાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા 126 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 39 કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં નવા 2 દર્દીઓની ખરાઈ મોડી રાતે થઈ હતી. સાથે દર્દીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં એક ચોંકાવનારી વાત એ છે કે 3 વર્ષની બાળકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાળકીના માતા પિતા પણ કોરોનાગ્રસ્ત છે.
ઘણા મંદિરો બંધ કરવામાં આવ્યા છે
મુંબઈનાં સિદ્ધી વિનાયક મંદિરથી માંડીને ઘણા મંદિરો બંધ કરવામાં આવ્યા છે. જ્યારે પદયાત્રા કરનારાઓ પર નિયંત્રણ લાવવામાં આવ્યું છે. યૂરોપીય યૂનિયન, તુર્કી અને બ્રિટનથી આવેલા પ્રવાસીઓ પર 18 માર્ચ સુધી નવા આદેશ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
પૂર્વ રાજ્યોમાં ઓડિશામાં પહેલા કેસની ખાતરી થઈ ચૂકી છે
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએએ જણાવ્યું હતું કે 13 લોકો સાજા થઈ ગયા છે. હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. જ્યારે 2ના મોત નિપજ્યા છે. પૂર્વ રાજ્યોમાં ઓડિશામાં પહેલા કેસની ખાતરી થઈ ચૂકી છે.
ધર્મગુરુઓને મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમ ન કરવા અપીલ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રાજ્યોમાં ચેપ ન ફેલાય તો તે માટે કામ કરનારા ડૉક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મીઓના પીએમએ વખાણ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના સામે લડવા એક થઈ પ્રયાસ કરીશું. કોઈ કસર નહીં છોડીએ. કેન્દ્ર સરકારે ધર્મગુરુઓને અપીલ કરી મોટા ધાર્મિક કાર્યક્રમો ન કરવા તેમજો મોટી સંખ્યામાં લોકોને ભેગાન કરવા સૂચન આપ્યું છે.