કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 48,512 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોનાના કારણે 768 લોકોના મૃત્યું થયા છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 15,31,669 થઇ ગઇ છે. જેમાં 5,09,447 કોરોનાના સક્રિય કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 9,88,029 લોકો કોરોનાનાથી સાજા થઇ ગયા છે અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં 34,193 લોકોના મૃત્યું થયા છે.
ભારતમાં એક દિવસમાં 768 લોકોનાં મૃત્યું
ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના કારણે 768 લોકોના મૃત્યું સામે આવ્યાં છે. મંગળવારે દેશમાં સંક્રમણથી મૃતકોની સંખ્યા 34,193 થઇ ગયેલી જોવા મળી છે.
ભારત માં 509447 કેસ એક્ટિવ
બુધવારે સામે આવેલા આંકડા મુજબ ભારતમાં કુલ કેસ 15,31,669 થઇ ગયા છે
એક્ટિવ કેસ - 509447
ઠીક થનારા દર્દીઓની સંખ્યા - 9,88,029
કુલ મૃત્યું - 34,193
કુલ કોરોનાના કેસ - 15,31, 669
ભારતમાં કુલ ટેસ્ટ
28 જુલાઇ સુધી કોવિડ-19 કુલ 1,77,43,740 સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે, જેમાં 4,08,855 સેમ્પલના ટેસ્ટ મંગળવારે કરવામાં આવ્યાં. આ વાત અંગેની જાણકારી ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) દ્વારા આપવામાં આવી છે.
દેશમાં રિકવરી રેટ 64.23 ટકા, ડેથ રેટ 2.25 ટકા
છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કોરોનાને હરાવાની સંખ્યા 30 હજારથી વધારે રહી છે. દેશમાં રિકવરી રેટ 64.23 ટકા પર જોવા મળ્યો છે. સરકારે જણાવ્યું કે ડેથ રેટ પણ હાલ 2.25 ટકા થઇ ગયો છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે, તેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સામેલ છે. જો કે દિલ્હીમાં રિકવરી રેટ 88 ટકાની ઉપર છે. એટલે કે 100માં થી 88 દર્દીઓ ઠીક થઇ રહ્યાં છે.
પોઝિટિવીટ રેટ પણ થયો ઓછો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMRના આંકડા વિશ્લેષકોએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના પોઝિટિવીટી રેટ ઘટ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 528082 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ દરમિયાન કુલ 47704 સેમ્પલ પોઝિટિવ નિકળ્યા છે. આ 9 ટકાની નજીક છે.