રાજ્યમાં એક તરફ કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે આ તરફે આજથી નર્મદાના કેવડિયા ખાતે 2 દિવસીય સ્પીકર સંમેલનની શરુઆત થઇ છે. આ સંમેલનમાં હાજરી આપવા માટે ગુજરાત આવેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગાંધીનગર ખાતે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પક્ષપલટા કાયદાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
પક્ષપલ્ટાના કાદયા અંગે ઓમ બિરલાનું મોટું નિવેદન
સી.પી. જોષીની અધ્યક્ષતામાં બની છે કમિટી
કમિટી કાયદો બનાવવા માટે આપશે સુચના
આ મુદ્દે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, પક્ષ પલટો રોકવા માટે મજબૂત કાયદો બનાવવો જરૂરી છે. દલ બદલ કાયદો એવો બને જેથી લોકતંત્રની વ્યવસ્થા જળવાઇ રહે અને આ મુદ્દે યોગ્ય કાયદા વિશે વિચારણા થઈ છે.
દલ બદલ કાયદો બનાવવા માટે સમિતિની રચના કરાઇ
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સી.પી. જોષીની અધ્યક્ષતામાં દલ બદલ કાયદો બનાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી સરકાર સમક્ષ કાયદો બનાવવા સૂચનો આપશે અને લોકતંત્ર પર લોકોની આસ્થા જળવાઇ રહે તે માટે કામ કરીશે.
છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત દેશમાં આવો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે
છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે તે ગુજરાતમાં બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે.
પ્રતિમાની 182 મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના 182 સદસ્યોની સૂચક છે અને ગુજરાતના સાડા છ કરોડ પ્રજાજનોની લાગણી તેની સાથે જોડાયેલી છે. આ માહિતી આપતાં રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.
26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સ
25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લેવાના છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે છે. આ કોન્ફરન્સમાં દેશના તમામ વિધાનસભા સ્પીકર હાજર રહેશે. 26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે.
કાર્યક્રમના સમાપનમાં PM મોદી સમાપન સ્પીચ કરશે
આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કાર્યક્રમ થશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.