ગુજરાત રાજયમાં કોરોનાએ સામાન્ય નાગરિકોની સાથોસાથ અનેક નેતાઓ,ડોક્ટર્સ અને જાણીતા ચહેરાઓને ઝપેટમાં લીધા છે.
CM રૂપાણીના અગ્ર સચિવ કે.કૈલાસનાથનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
થયાં હોમ આઇસોલેટ
રાજ્યમાં આજે નોંધાયા છે 13 હજારથી વધુ કેસ
ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અગ્ર સચિવ કે.કૈલાસનાથનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હોમ આઇસોલેટ થયાં કૈલાસનાથન
મુખ્યમંત્રીના કાર્યાલમાં યોજાતી બેઠક દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ગેરહાજર હોવાનું જણાતા અનેક સવાલો ઉભા થયાં હતા. જો કે, હાલ તેઓ હોમ આઇસોલેનશમાં છે અને કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
ગઇકાલે ભાવનગરના સાંસદ પણ થયાં હતા કોરોના સંક્રમિત
જણાવી દઇએ કે, ગઇકાલે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તથા તેમના પતિ ધીરુભાઇ શિયાળનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બંન્ને હોમ આઇસોલેટ થયાં હતા. તો આ સાથે જ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.
ગુજરાતમાં આજે નોંધાયા 13 હજારથી વધુ કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,050 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 130 લોકોના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 131 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7779 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 12,121 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,64,396 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 778 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,48,297 પર પહોંચ્યો છે.