ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણીવખત રાજ્યમાં તંત્રની ઘોર બેદરકારીઓ સામે આવતી હોય છે. જેના કારણે કોરોના સંક્રમણ વધવાનો ભય વધારે હોય છે. હાલમાં જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે. જેમાં PPE કીટ સિવિલ હોસ્પિટલમાં જ્યાં-ત્યાં ફેકી દેવામાં જોવા મળી.
જૂનાગઢ સિવિલની ફરી એક બેદરકારી આવી સામે
PPE કીટ સિવિલ હોસ્પિટલમાં જ્યાં ત્યાં ફેકી દેવાયાં
કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન ઉપયોગ થાય છે PPE કીટ
ગુજરાતમાં વધતા કોરોના કેસને લઇને જ્યાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે. રાજ્યના જૂનાગઢ શહેરમાં હાલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે ફરી શહેરની સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાતી જોવા મળી રહી છે.
કોરોનાના વધતા કેસ વચ્ચે જૂનાગઢ સિવિલ તંત્રની બેદરકારી સામે આવી છે. ડોક્ટર કોરોના દર્દીની સારવાર દરમિયાન જે PPE કીટ પહેરે છે તે જ PPE કીટ સિવિલ હોસ્પિટલની બહાર પડેલી જોવા મળી.
ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીની સારવાર માટે વાપરવામાં આવેલી PPE કીટનો યોગ્ય જગ્યાએ નાશ કરવો પડે છે. પરંતુ સિવિલ દ્વારા બેદરકારી રાખી અને PPE કીટને જ્યાં ત્યાં ફેંકી દેવાઇ છે. ત્યારે આવી બેદરકારીથી લોકોના જીવને જોખમ થઇ શકે છે. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી આવી ઘોર બેદરકારીને લઇને અનેક સવાલો ઉભા થયા છે.