ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજ્યમાં કરોનાનો નવા 16 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી 11 વ્યક્તિના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરાનાના વધુ 16 લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 144 થઈ
અમદાવાદમાં આજે 11 કેસ નોંધાતા આંકડો 64એ પહોંચ્યો
જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં હાલ બે દર્દીઓ વેન્ટિલેટર પર સ્થિર છે. અમદાવાદમાં 64, સુરતમાં 17, વડોદરામાં 12 કેસ નોંધાયા છે. રાજકોટમાં 10 કેસ નોંધાયા છે. કચ્છ, મહેસાણા અને ગીર-સોમનાથમાં બે-બે કેસ નોંધાયા છે. વડોદરામાં 12, ગાંધીનગર અને ભાવનગરમાં 13-13 કેસ નોંધાયા છે.
પોરબંદરમાં 3, પંચમહાલમાં 1 પાટણમાં 2 કેસ નોંધાયા છે. છોટા ઉદેપુર, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાયો છે. આમ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 64 લોકોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કોઇને બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હોય તો તપાસ જરૂરથી કરાવજો. આ સાથે હેલ્પલાઇન નંબર પર માહિતી મેળવી શકશો.
ગુજરાતમા અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ શહેર બન્યું છે. અમદાવાદમાં કોરોનાના 64 કેસ નોંધાયાં છે. આજે અમદાવાદમાં નવા 11 કેસ નોંધાયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે.