વેક્સિન લગાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયા તો વીમા કંપની આપશે ખર્ચ
આ સારવારનો ખર્ચ માટે દર્દી વીમા કંપની પાસે ક્લેમ કરી શકે છે-ઈરડા
આ મામલે ઈરડાએ જણાવ્યું કે ગ્રાહક આ સ્થિતિમાં ખર્ચ માટે ક્લેમ કરી શકશે
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઇરડા) એ બાબત ગુરુવારે આદેશ જારી કર્યા છે. કે જો કોઈપણ દર્દીને કોરોના વેક્સિન લગાવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે તો તેનો ખર્ચ વીમા કંપનીએ આપવો પડશે.
વીમામાં રસીના ખર્ચને સામેલ નથી
ઈરડાએ જણાવ્યું કે વેક્સિન લીધા બાદ તબીયત ખરાબ થાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તો આ સ્થિતિમાં દર્દી પોતાનો ખર્ચ વીમા કંપની પાસે ક્લેમ કરી શકશે. સારવારનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવવો પડશે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરીએ ગત દિવસોમાં સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં કોરોનાની સારવારને સામેલ કર્યા હતા. પરંતુ તેમાં રસીના ખર્ચને સામેલ નહોતા કર્યા. જે હજું પણ પોલિસીની બહાર છે.
સ્વાસ્થ્યકર્મીઓએ વીમા કંપની પર કર્યા હતા સવાલ
સ્વાસ્થ્યકર્મીઓએ વીમા કંપનીઓ પર સવાલ ઉઠાવ્યા હતા કે રસી લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો સરવારનો ખર્ચ વીમા કંપની ઉઠાવશે કે નહીં. આ મામલે સ્પષ્ટતા કરતા ઈરડાએ જણાવ્યું હતું કે ગ્રાહકો આ સ્થિતિમાં ખર્ચ માટે ક્લેમ કરી શકશે.
એલઆઈસીએ સરળ બનાવી સેટલમેન્ટ પ્રક્રિયા
સરકારી વીમા કંપની એલઆઈસીએ મહામારીના સંકટથી લડી રહેલા પોતાના ગ્રાહતો માટે સેટલમેન્ટ પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું કે ગ્રાહક પોતાની પોલિસીની પરિપક્વતા સમય સાથે જોડાયેલા દસ્તાવેજો દેશના કોઈ પણ એલઆઈસી કાર્યાલયમાં જમા કરાવી શકે છે. 113 સ્થાનીય કાર્યલય એને 2, 048 શાખાઓ ઉપરાંત 1526 સેટેલાઈટ કાર્યાલયોમાં પરિપક્વતા સંબંધી દસ્તાવેજો જમા કરવામાં આવશે. સુવિધાને અત્યારે ટ્રાયલ આધાર પર લાગૂ કરવામાં આવશે અને ગ્રાહકોને 31 માર્ચ, 2021 સુધી આ પ્રકારના ક્લેમ કરી શકે છે. દસ્તાવેજો જમા થયા બાદ ક્લેમ ચૂકવણી મુળ સાખાના આધારે કરવામાં આવશે. તમામ શાખાઓને આ બાબત નિર્દેશ આપવામાં આવી ચૂક્યા છે.