ચીન બાદ ઇરાનમાં પણ કોરોના વાયરસથી થતા મોતનો આંકડો સતત વધતો જ જઇ રહ્યો છે. આ પહેલા કોરોના વાયરસથી ઇરાનના એક સાંસદનું શનિવારે મોત થયાના સમાચારમાં આવ્યા હતા. સ્ટેટ મીડિયાના હવાલાથી સમાચાર મળ્યા હતા કે કોરોના વાયરસથી મોહમ્મદ અલી રમજાની દસ્તકનું મોત થઇ ગયું છે.
ચીન બાદ ઇરાનમાં પણ કોરોના વાયરસથી થતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે
કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી ઇરાનના એક સાંસદનું શનિવારે મોત થઇ ગયું
અત્યાર સુધીમાં ઇરાનમાં 43 લોકોના કોરોના વાયરસથી મોત થઇ ગયા છે
જોકે ઇરાનના સત્તાવાર સૂત્રોએ આ વાતનો ઇનકાર કર્યો છે તથા તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યાની વાત જણાવી છે. નોંધનીય છે કે મોહમ્મદ અલી રમજાની દસ્તક ગત સપ્તાહે જ સાંસદ ચૂંટાઇ આવ્યા હતા.
સાંસદ મોહમ્મદ અલી રમજાનીનું મોત શનિવારની સવારે ત્યારે થઇ જ્યારે તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા. દેશમાં સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સાર્વજનિક જગ્યાઓ પર જવાથી બચે.
ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં ઇરાનમાં 43 લોકોના કોરોના વાયરસથી મોત થઇ ગયા છે. જ્યારે 593 લોકોના સંક્રમિત થવાની પુષ્ટી થઇ ચુકી છે. જોકે, આ આંકડાઓ પર સવાલ ઉઠી રહ્યા છે.
બીબીસીને ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોથી જાણવા મળ્યું છે કે બીમારીથી ઓછામાં ઓછા 210 લોકોના મોત થઇ ચૂક્યા છે. પરંતુ ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ બીબીસી ફારસી પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ અમેરિકા આ પહેલા ઇરાન પર આરોપ લગાવી ચૂક્યું છે કે તે કદાચ કોરોના વાયરસથી લઇને જાણકારી છુપાવી રહ્યું છે.