કોરોનામાં મહત્વની ગણાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાથી કોરોના વાયરસના દર્દીને ખતરો હોઈ શકે છે. આ ચિંતાના કારણે હવે આ દવાને પાછી ખેંચી લેવામાં આવી છે. કેટલાક પરિણામો બાદ WHOએ મલેરિયાની આ દવાના પરીક્ષણ પર બૅન મૂક્યો છે.
હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનું ઉત્પાદન ભારતમાં મોટા પાયે થાય છે અને ઘણા દેશોએ તેને ભારતથી આયાત કરીને કોરોનાને માત આપવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને કોરોના સામેની લડતમાં ગેમ ચેન્જર ગણાવ્યું છે. જો કે, આ અભ્યાસ પ્રકાશિત થયો ત્યારથી દવા વિશે પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા.
રિપોર્ટમાં આવ્યું ચોંકાવનારું પરિણામ
ગયા મહિનામાં મેડિકલ જર્નલ ધ લેંસેટમાં પ્રકાશિત એક લેખ મુજબ વિશ્વની 671 હોસ્પિટલોમાં કોરોના વાયરસના 96,000 દર્દીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 15,000 દર્દીઓને હાઈડ્રોક્સાઇક્લોરોક્વિન આપવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ફક્ત આ દવા આપવામાં આવી હતી જ્યારે કેટલાક લોકોને આ એન્ટિબાયોટિક આપવામાં આવી હતી. સંશોધનમાં એવું તારણ આવ્યું હતું કે આ ડ્રગની કોરોના વાયરસ પર કોઈ અસર જોવા મળી નથી, પરંતુ અનિયમિત ધબકારા અને મૃત્યુનું જોખમ વધ્યું છે.
ક્લિનિકલ ટ્રાયલે આ દવાને વાપરવાની પરમિશન આપી નથી
ઉલ્લેખનીય છે કે કેટલીક દવાઓના ઉપયોગને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન મલેરિયા અને લ્યૂપસ જેવી બીમારીની સારવારમાં સુરક્ષિત છે. પણ કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલે આ દવાને હજુ સુધી કોરોના વાયરસને માટે વાપરવા અંગેની કોઈ ભલામણ કરવામાં આવી નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું ટ્રાયલ ફરીથી શરૂ કરવાનું નિર્ણય કર્યો છે. યૂકે, યુએસ અને સેનેગલ સહિત અનેક દેશોમાં આ દવા પર સ્ટડી કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશને હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ પર આ દવાને ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની સલાહ આપી હતી. થોડા દર્દીઓને દિલની સમસ્યા આવ્યા બાદ આ દવાને લઈને ચેતવણી જાહેર કરી છે.