જ્યાંથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ત્યાંથી એક સારા સમાચાર આવ્યા છે એટલે કે ચીનથી. ચીનના વુહાનથી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે 170,740 લોકોને કોરોના થયો છે. જ્યારે કે 6687 લોકોના મોત નિપજ્યા છે. અત્યારે એક સારા સમાચાર ચીનની વૈજ્ઞાનિકોની પ્રયોગ શાળામાંથી આવ્યાં છે. પ્રયોગ શાળામાં કેટલાક વાંદરાને કોરોના વાયરસનો ચેપ લગાડવામાં આવ્યો. હવે આ વાંદરાઓએ વાયરસની વિરુદ્ધ ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરી છે. એટલે કે તેઓ હવે કોરોના વાયરસની સામે મજબૂત રોગ પ્રતિકારત શક્તિ કેળવી શક્યા છે.
એન્ટિબોડીઝને લઈને નવી વેક્સિન તૈયાર કરવામાં આવી
આ વેક્સિનથી ઝડપથી સાજા થઈ શકાશે
ચીન એક મહિનામાં માણસો પર પરિક્ષણ શરુ કરશે
એન્ટિબોડીઝને લઈને નવી વેક્સિન તૈયાર કરવામાં આવી
વાંદરાના માધ્યમથી કોરોના વાયરસની વિરુદ્ધ ઈમ્યૂનિટી સિસ્ટમ વિકસિત થવાનો મતલબ એ છે કે માણસો પણ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી વાયરસની સામે લડી શકે છે. આ વાંદરાઓના શરીરમાં એન્ટિબોડીઝને લઈને નવી વેક્સિન તૈયાર કરવામાં આવી છે.
આ રીતે આપણે સંક્રમણથી બચીશું
એન્ટિબોડીઝ આપણા શરીરમા રહેલા એવા યોદ્ધા છે જે બહારથી આવનારા બેક્ટેરિયા અને વાયરસ સામેના હુમલાથી આપણને બચાવશે. બિમારીઓ સામે લડશે. આ રીતે આપણે સંક્રમણથી બચીશું.
માણસોમાં પરિક્ષણ એક મહિનામાં શરુ કરશે
ચીનના વૈજ્ઞાનિકો હવે વાંદરામાંથી લેવાયેવા એન્ટિબોડીઝથી માણસોમાં પરિક્ષણ એક મહિનામાં શરુ કરશે. ફક્ત એટલુ જ નહીં, જે લોકો કોરોના વાયરસમાંથી બહાર આવી ગયા છે તેમના પણ એન્ટિબોડીઝ લઈને ચીન વેક્સિન બનાવવા જઈ રહ્યું છે.
બન્ને વેક્સિનની સરખામણી કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ચીનમાં અત્યાર સુધીમાં 75 હજારથી લોકો કોરોના વાયરસમાંથી મુક્ત થઈ ચૂક્યા છે. એટલે કે સાજા થઈ ચૂક્યા છે. તેમના શરીરમાંથી એન્ટિબોડિઝ વેક્સિન વિકસિત કરવામાં આવશે. સાથે સાથે વાંદરાઓના એન્ટિબોડિઝ વેક્સિન સાથે સરખામણી કરી જોવામાં આવશે કે કેટલી સમાનતા છે.
વેક્સિનથી આ ફાયદો થશે
લોકોમાં ડર છે કે કોરોના વાયરસ ફરિથી થઈ જશે તો.ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો ચેપ 0.1થી 1 ટકા લોકોને ફરીથી થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોને આશા છે કે એક વાર વેક્સિન વિકસાવ્યા બાદ ફરીથી કોરોનાનો હુમલો થાય છે તો તેને સરળતાથી સાજા કરી શકાશે.