કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં 40,554 લોકો બીમાર થઈ ચૂક્યા છે. જેમાંથી 910 લોકોના મોત થયા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસ સાપની મદદથી લોકોમાં ફેલાયો છે. ચીનના વુહાન અને ઈન્ડોનેશિયામાં સાપનું બજાર ભરાય છે. જ્યાં 112 પ્રકારના જીવિત જાનવર વેચાય છે. મોટા પ્રમાણમાં જીવતા અને મૃત સાપ અહીં વેચાતા હતા. આ માર્કેટને હાલમાં બંધ કરી દેવામાં આવ્યું છે.
કોરોના વાયરસનું કારણ છે સાપ
સાપ વેચાતા માર્કેટને કરવામાં આવ્યા બંધ
કોરોના વાયરસથી 910 લોકોના મોત નીપજ્યા
ચીનમાં ખાવા પીવાને લઈને કોઈ પાબંધી ન હતી પરંતુ જ્યારથી કોરોના વાયરસનો કહેર ફેલાયો છે ત્યારથી ચીન જ નહીં, ઈન્ડોનેશિયામાં પણ જાનવરોના બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. ઈન્ડોનેશિયામાં સાપનું બજાર ભરાતું, સાપના દરેક અંગનો વેપાર થતો હતો.
સાપના ઝેરથી બને છે દવાઓ અને સ્કીનથી બને છે બેગ્સ
સાપના ઝેરથી દવાઓ બને છે અને તેની સ્કીનથી બેગ્સ અને એક્સેસરીઝ બને છે. સાપની સ્કીનથી બનનારી બેગ લગભગ 2.21 લાખ રૂપિયાથી પણ વધારે કિંમતની હોય છે. ઈન્ડોનેશિયાના સિરેબૉનના કેર્તાસુરા ગામની એક મંડી છે જ્યાં જીવિત સાપ અને તેના અંગનો વેપાર કરવામાં આવે છે. જો કે કોરોનાની અસરના કારણે હાલમાં મંડી બંધ છે.
નિર્દયી રીતે કરાય છે સાપનું મારણ
અહીં સાપને મારવા માટે તેમની સ્કીન ઉતારવા માટે નિર્દયી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. સાપની ખાલ કાઢવા માટે તેની અંદર રોડ ઘૂસાડવામાં આવે છે. ખાલ કાઢી લીધા બાદ સાપને ગોળ ગોળ લપેટીને ગ્રાહકો માટે રાખવામાં આવે છે. આ ખાલની બેગ્સ અને એક્સેસરીઝ બનાવવામાં આવે છે. આ માટેના ગ્રાહકો આવે છે અને પોતાની પસંદ પ્રમાણેની સ્કીન પસંદ કરીને ખરીદે છે. અહીં દરેક રંગ અને પેટર્નની સાપની સ્કીન મળી રહે છે.
ઈન્ડોનેશિયામાં સાપને આ રીતે મારવામાં આવે છે
અહીં સાપને મારવા માટે એક સરળ રીત અપનાવવામાં આવે છે. તેના માથાને કચડી દેવામાં આવે છે. ત્યારબાદ એક સાપના આકારનો પાઈપ લઈને તેના મોઢાથી પૂંછડી સુધી નાંખવામાં આવે છે. પછી સાપની અંદર પાણી ભરવામાં આવે છે. 10 મિનિટ સુધી તેને આ જ રીતે રાખવામાં આવે છે. થોડી વાર બાદ તેની સ્કીન ખેંચી લેવામાં આવે છે. ત્યારબાદ દરેક સાપને ગોળ લપેટી લેવામાં આવે છે. અને તેને ભઠ્ઠીમાં નાંખી દેવામાં આવે છે. ભઠ્ઠીમાંથી સાપને કાઢ્યા બાદ તેને વચ્ચેથી કાપી નાંખવામાં આવે છે. કાપ્યા બાદ તેને તડકામાં સૂકવવામાં આવે છે.
આ રીતે કરવામાં આવે છે સાપના અંગોનો ઉપયોગ
સાપના અંગોનો ઉપયોગ અસ્થમા અને ત્વચા સંબંધી બીમારીઓ માટે કરવામાં આવે છે. તેને પણ સંભાળીને રાખવામાં આવે છે. કેટલાક લોકો સાપના અંગોથી બનેલી દવાઓને શક્તિવર્ધકના રૂપમાં લેતા હોય છે.