કોરોના વાયરસ (Coronavirus)ને પગલે દેશમાં એક પ્રકારે ભયનો માહોલ છે. દેશના 30 રાજ્યોમાં લૉક ડાઉન છે. ઘણા જિલ્લાઓમાં કરફ્યૂ પણ લગાવાયો છે. એવુ પહેલીવાર થયું છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને ઘરોની અંદર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. કોરોના ડરને પગલે ભારતીય રેલ પણ બંધ છે. એવામાં રેલ મંત્રાલયની તરફથી લોકોને પણ ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
રેલ મંત્રાલયની તરફથી લોકોને પણ ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી
દેશના ઇતિહાસમાં પહેલીવાર પેસેન્જર ટ્રેનને બંધ કરી દેવામાં આવી
સોમવારે રાત્રે રેલ મંત્રાલયની તરફથી ટ્વીટ કરી લખવામાં આવ્યું, ભારતીય રેલ ક્યારેય યુદ્ધકાળમાં પણ અટકી નથી, કૃપા કરીને પરિસ્થિતિની ગંભીરતાને સમજો. પોતાના ઘરમાં જ રહો.
નોંધનીય છે કે દેશના ઇતિહાસમાં એવુ પહેલીવાર થયું છે, જ્યારે પેસેન્જર ટ્રેનને બંધ કરી દેવામાં આવી હોય. તમામ ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી અને માત્ર માલગાડીને ચલાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. એવામાં હવે ખુદ રેલવે લોકોને કહી રહી છે કે આપ ઘરમાં જ રહો.
भारतीय रेल कभी युद्धकाल में भी नहीं रुकी
कृपया परिस्थितियों की गम्भीरता समझिए
घर में ही रहिये।
🙏🙏
ન માત્ર રેલ સર્વિસ પરંતુ દેશના અલગ-અલગ શહેરોમાં ચાલનારી મેટ્રો પણ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી, નોઇડા, કોલકાતા, બેંગલુરુ, મુંબઇ, કોચ્ચી, નાગપુર સહિત અન્ય મેટ્રોની સર્વિસને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત મંગળવારથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ પર રોક લગાવી દેવાઇ હતી. એ પહેલા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સેવા પણ રોક લગાવી દેવાઇ હતી અને વિદેશી યાત્રીઓના ભારત આવવા પર રોક લગાવી દેવાઇ છે. ભારતમાં કોરોના વાયરસના મામલાઓની સંખ્યા 500ની નજીક પહોંચી ચૂક્યા છે.