ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus) ને લઇને ભારત અલર્ટ થઇ ગયું છે. મંગળવારે ઉત્તર પ્રદેશના નોઇડા અને આગ્રામાં કોરોના વાયરસ સાથે જોડાયેલા કેટલાક કેસ સામે આવ્યા છે. જે બાદ રાજ્યથી કેન્દ્ર સરકાર સુધી તમામ એલર્ટ છે. વિદેશથી ભારત આવતા લોકોની તપાસ થઇ રહી છે. ભારતે ઘણા દેશો માટે 3 માર્ચ પહેલા જારી કરેલા વીઝા રદ્દ કરી દીધા છે.
કોરોના વાયરસને લઇને ભારત અલર્ટ
કેટલીક ફ્લાઇટ્સમાં કર્યો બદલાવ
ભારતે 4 દેશોના વીઝા રદ્દ કર્યા
સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જારી અપડેટ મુજબ ઇટલી, ઇરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવનારા યાત્રાળુઓને જે વીઝા અથવા ઇ-વીઝા જારી કરવામાં આવ્યા છે તેને રદ્દ કરાયા છે. 3 માર્ય બાદ આ દેશના કોઇપણ નાગરિકને ભારતના વીઝા આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ભારતીય નાગરિકોને પણ આ દેશોનો પ્રવાસ ટાળવા જણાવાયું છે.
ચીનના લોકો માટે 5 ફેબ્રુઆરીથી પહેલાના વીઝાને લઇને ચેતવણી જારી કરવામાં આવી હતી, તે હજુ પણ ચાલુ રહેશે. જોકે, જે હવે એપ્લાઇ કરવા માંગે છે તેઓ ફરીથી તેના માટે એપ્લાઇ કરી શકે છે.
ભારત સરકારની તરફથી આ સિવાય ચીન, ઇરાન, ઇટલી, સાઉથ કોરિયા અને જાપાન થઇને આવનારા યાત્રાળુઓ માટે ઇ-વીઝા અને વીઝા રદ્દ કરી દીધા છે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી પહેલા જારી થયેલા વીઝાને લઇને લાગૂ થશે. આ દેશોથી સંયુક્ત રાષ્ટ્રના અધિકારી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્યોને ભારત આવવા દેવાશે. જોકે, આ તમામની સ્ક્રીનિંગ થતી રહેશે.
આ સિવાય જે પણ નાગરિકો કેટલાક દેશોની યાત્રા કરીને આવી રહ્યા હોય, તે પછી ભારતીય હોય કે વિદેશી તેમની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે. તેમા ચીન, સાઉથ કોરિયા, જાપાન, ઇરાન, ઇટલી, હોંગકોન્ગ, મકાઉ, વિયેટનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, નેપાળ, થાઇલેન્ડ, સિંગાપુર, તાઇવાન જેવા દેશ સામેલ છે.
ભારત સરકાર દ્વારા જારી એડવાઇઝરી બાદ એર ઇન્ડિયાએ ઘણા દેશોની ફ્લાઇટ પણ રદ્દ કરી દીધી છે. એર ઇન્ડિયાની તરફથી જે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે તે નીચે પ્રમાણે છે.
એર ઇન્ડિયાએ રદ્દ કરી ફ્લાઇટ્સ
દિલ્હી-ટોક્યો : હવે સપ્તાહમાં માત્ર 4 ફ્લાઇટ (31 માર્ચ સુધી)
દિલ્હી-સિયોલ, દિલ્હી-મિલાન : સપ્તાહમાં માત્ર 2 ફ્લાઇટ (31 માર્ચ સુધી)
દિલ્હી-રોમ : હવે માત્ર 2 ફ્લાઇટ (31 માર્ચ સુધી)
મુંબઇ-સિંગાપુર : હેવ માત્ર 4 ફ્લાઇટ (મે ના અંત સુધી)
દિલ્હી-બેન્કૉક-મુંબઇ: સપ્તાહમાં માત્ર 3 ફ્લાઇટ (મે ના અંત સુધી)
શાંઘાઇ-હૉન્ગકોન્ગ માટેની સીધી ફ્લાઇટ જૂન સુધી રદ્દ કરાઇ