કોરોના સંકટ / લૉકડાઉનમાં છુટછાટના પ્રથમ દિવસે જ કોરોનાના રેકોર્ડબ્રેક આટલાં કેસ નોંધાયા, એક જ દિવસમાં 200ના મોત

coronavirus india updates 8171 new covid 19 patients 204 deaths reported in last 24 hours-total cases nears 2 lakh mark

લૉકડાઉનની વચ્ચે ભારતમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યાનો કુલ આંક 1.99 લાખ પહોંચી ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1, 98, 706 થઈ છે. જ્યારે આ વાયરસથી હાલ સુધીમાં 5598 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 8171 નવા કેસ સામે આવ્યા છે અને 204 લોકોના મોત થયા છે. રાહતની વાત તો એ છે કે 95,527 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. રિકવરી રેટ 48.07 ટકા પર પહોંચ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ