દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 2 લાખ 26 હજાર 770 પહોંચી છે. તેમાંથી 6348 દર્દીના મોત થઈ ચૂક્યા છે. રાહતની વાત તો એ છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે એટલે કે રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાના આંકથી દેશમાં હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 હજાર નવા કેસ આવ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર નવા કેસ આવ્યા
દેશમાં 24 કલાકમાં 273 મોત, કુલ 6348 દર્દીના મોત
કોરોનાના દર્દીની સંખ્યા 2 લાખ 26 હજાર 770 પહોંચી
દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 હજાર નવા કેસ સામે આવ્યા છે, સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જે આંકડા જાહેર કર્યા છે તેમાં 24 કલાકમાં 9851 કેસ નવા આવ્યા છે. જ્યારે 273 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 5355 લોકો સાજા થયા છે.
India reports 9,851 new #COVID19 cases & 273 deaths in the last 24 hours. Total number of cases in the country now at 2,26,770 including 1,10,960 active cases,1,09,462 cured/discharged/migrated and 6348 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/yGNag5tgP3
દેશમાં કુલ દર્દીની સંખ્યા 2 લાખ 26 હજાર 770 છે. તેમાંથી 6348 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ સુધીમાં 50 ટકા એટલે કે 1 લાખ 9 હજાર 462 લોકો સાજા થયા છે. દેશમાં 1 લાખ 10 હજાર 960 એક્ટિવ કેસ છે.
Total 43,86,376 samples have been tested till now, of which 1,43,661 samples have been tested in the last 24 hours: ICMR (Indian Council of Medical Research) pic.twitter.com/NalVcOcV5K
કોરોનાના કેસની સાથે જ દેશમાં કોરોનાની તપાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આઈસીએમઆરના રિપોર્ટમાં કહેવાયું છે કે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 43 હજાર 661 લોકોનો ટેસ્ટ કરાયો છે. એક દિવસમાં ટેસ્ટનો આ સૌથી વધારે આંકડો છે. હાલ સુધીમાં 43 લાખ 86 હજાર 376 સેમ્પલનો ટેસ્ટ કરાશે.
મહારાષ્ટ્રમાં છે આવી સ્થિતિ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 123 લોકોના મોત થયા છે. આ આંકડો હાલ સુધીનો સૌથી મોટો ઉછાળો છે. એક દિવસ પહેલાં 122 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ સુધીમાં 2710 લોકોના મોત થયા છે. 24 કલાકમાં લગભગ 3 હજાર નવા કેસ આવ્યા છે. દર્દીના આંકડા 778793 સુધી પહોંચ્યો છે.
દિલ્હીમાં પણ કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. રાજધાનીમાં પરિસ્થિતિઓ વધુ ખરાબ થઈ રહી છે. 24 કલાકમાં દિલ્હીમાં 1359 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 25 હજારને વટાવી ગઈ છે. મૃત્યુઆંક 650 પર પહોંચી ગયો છે. કોરોનાએ 24 કલાકમાં 22 લોકોના જીવ લીધા છે.