હાલમાં યોજાયેલી એક ઈ-કોન્કલેવ સીરિઝમાં અમેરિકાના પ્રસિદ્ધ વાયરોલોજીસ્ટ અને બાયોટેક ઈન્વેસ્ટર પીટર કોલચિન્સ્કીએ ભાગ લીધો. તેઓએ કોરોનાના ખતરા સાથે જોડાયેલી ખાસ જાણકારીઓ આપતાં કહ્યું કે હાલમાં સૌથી મોટી કોઈ ચેલેન્જ હોય તો તે છે લક્ષણો ન દેખાતા હોય અને છતાં વ્યક્તિને કોરોના હોય. ભારત સહિત અનેક જગ્યાઓએ આ ચેલેન્જ સામે આવી રહી છે.
કોરોનાને લઈને વાયરોલોજિસ્ટે કહી વાત
કોરોના એક શાતિર વાયરસ છે
લક્ષણો વિનાના લોકોમાં પણ રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે
વાયરોલોજિસ્ટે જણાવ્યું છે કે આ વાયરસ ખૂબ જ શાતિર છે. કેમ કે તે લોકોને ચૂપચાપ સંક્રમિત કરી રહ્યો છે. તે માણસના શ્વસનતંત્રમાં પહોંચે છે અને પોતાની સંખ્યા વધારે છે. જ્યારે વ્યક્તિમાં લક્ષણો દેખાતા નથી ત્યારે તેને આઈસોલેટ કરવાનું કામ મુશ્કેલ બને છે. જ્યાં સુધી વ્યક્તિમાં લક્ષણો દેખાવવાનું શરૂ થાય તે પહેલાં તે અન્ય લોકોને સંક્રમિત કરી દેતા હોય છે. થોડા સામાન્ય લક્ષણો જોવા મળવાના કારણે તે વાયરસ પકડમા આવતો નથી.
આ રીતે સરળતાથી વાયરસ ફેલાઈ જાય છે અન્ય વ્યક્તિમાં
વાયરોલોજિસ્ટે જણાવ્યું છે તે એ સિપ્ટમેટિક એટલે કે વિના લક્ષણો વાળા કોરોના સંક્રમિતોથી વાયરસ સરળતાથી કોઈ પણ વ્યક્તિના શરીરમાં ફેલાઈ જાય છે. આ વાયરસ વાત કરતાં પણ ફેલાઈ શકે છે. વાયરસના સંક્રમણને લઈને સતર્ક રહેવાની જરૂર છે.
વિના લક્ષણો વાળા કોરોના દર્દીઓની સંખ્યા 80 ટકા
હાલમાં 80 ટકા લોકો એ-સિપ્ટમેટિક કોરોના વાયરસનો શિકાર છે. આ પ્રકારના કોરોનાથી દુનિયામાં મૃત્યુદર 1 ટકાનો હોઈ શકે છે. જો આ દર 0.2 ટકા પહોચે છે તો વધારે લોકોના મોત થઈ શકે છે.
ICMRએ પણ વ્યક્ત કરી ચિંતા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે આ વાતને લઈને ચિંતા સેવી હતી કે કોરોના વાયરસના 80 ટકા કેસ વિના લક્ષણો વાળા વ્યક્તિઓમાં મળી રહ્યા છે. તેઓએ કહ્યું કે જો 100 લોકો કોરોના સંક્રમિત હોય છે તો તેમાંથી 80 ટકા લોકોમાં કોઈ લક્ષણો હોતા નથી અથવા તો સામાન્ય લક્ષણો હોય છે.
ભારત માટે આ વાત ચિંતાજનક
એક ડોક્ટરે જણાવ્યું કે ભારત માટે આ વાત સૌથી વધારે ચિંતાજનક છે. સંક્રમણના લક્ષણો વિનાના દર્દીની ઓળખ કરવાનું મુશ્કેલ બને છે. આ કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ સિવાય અન્ય કોઈ રસ્તો બચતો નથી.
સંક્રમણ એકમેકને ન ફેલાય તેની કાળજી રાખવી જરૂરી
ICMRના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે દેશની સંખ્યાના આધારે દરેકનો ટેસ્ટ કરવો શક્ય નથી. ધ્યાન રાખવાનું રહેશે કે એ-સિપ્ટમેટિક દર્દી કોઈના પણ સંપર્કમામં ના આવે. લેબ કન્ફર્મ કે લક્ષણો વાળા દર્દી સાવધાની રાખે અને સાથે અન્યને સંક્રમણ ન ફેલાય તે પણ સાવચેતી રાખે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન સૌથી વધુ જરૂરી છે.
આ સમયે આવી જશે વેક્સીન
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વર્ષના અંત સુધીમાં વેક્સીન બની શકે છે. સૌથી પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ અને કોરોનાના ગંભીર ખતરામાં આવનારા લોકોને વેક્સીન અપાશે. આશા છે કે આવનારા વર્ષના પહેલાં 3 મહિનામાં આ વેક્સીન અન્ય લોકોને પણ આપવામાં આવશે.