ભારતે રવિવારે ચીનથી આવતા ચીની અને અન્ય વિદેશી યાત્રાળુઓ માટે ઇ-વીઝાની સુવિધા અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી. ભારતે આ પગલુ ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણથી 300થી વધારે લોકોના મોત, 14,562 લોકોના સંક્રમિત થવા અને ભારત, અમેરિકા, બ્રિટેન સહિત 25 દેશોમાં તેના પ્રસારને ધ્યાને લેતા ઉઠાવ્યું છે.
ભારતે ચીનથી આવતા ચીની, અન્ય વિદેશી યાત્રાળુઓ માટે ઇ-વીઝાની સુવિધા અસ્થાયી રૂપે સ્થગિત કરી
ભારતે આ પગલુ ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણથી ફેલાયેલી મહામારી બાદ લીધુ
ભારતીય દૂતાવાસે અહીં જાહેરાત કરી, 'હાલની પરિસ્થિતિઓને ધ્યાને લેતા તાત્કાલિક ઇ-વીઝાના માધ્યમથી ભારતની યાત્રા પર રોક લગાવામાં આવે છે. દૂતાવાસે કહ્યું કે, આ નિર્ણય ચીની પાસપોર્ટ ધારકો અને અન્ય દેશોના એ લોકો પર લાગૂ પડશે જે ચીનની મુખ્ય ભૂમિ પર રહે છે. આ પ્રકારે જે લોકોને પહેલા જ ઇ-વીઝા જાહેર કરવામાં આવી ચૂક્યા છે તેઓ ધ્યાન આપે કે, હવે તેમનો ઇ-વીઝા કાયદાકીય નથી.'
ભારતીય દૂતાવાસે આદેશમાં કહ્યું, જે લોકો માટે ભારતની યાત્રા અનિવાર્ય છે તેઓ પેઇચિંગ સ્થિત ભારતીય દૂતાવાસ અને શાંઘાઇ અને ગ્વાંગજ્ઞોઉ સ્થિત મહા વાણિજ્ય દૂતાવાસ અને આ શહેરોમાં સ્થિત ભારતીય વીઝા આવેદન કેન્દ્ર પર સંપર્ક કરી શકે છે. આ દરમિયાન ભારતે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત વુહાનમાં ફંસાયેલા 323 ભારતીય અને માલદીવના 7 નાગરિકોને રવિવારે નીકાળ્યા.
આ પ્રકારે ભારતે બે વિમાનોથી 654 લોકોને વુહાનથી નીકાળ્યા છે. નોંધનીય છે કે, ભારતે એર ઇન્ડિયાના જંબો બોઇંગ વિમાન 747 એ બે ફ્લાઇટ વુહાન માટે ભરી હતી. પહેલી ફ્લાઇટમાં શનિવારે 324 લોકોને નીકાળ્યા હતા જ્યારે રવિવારે 323 ભારતીય અને સાત માલદીવ નાગરિકોને લઇને વિમાને વુહાનથી નીકાળ્યા.