દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 5 લાખ 85 હજારની ઉપર પહોંચી ગયેલો જોવા મળ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 5 લાખ 85 હજાર 493 છે, જેમાં 17 હજાર 400 લોકોના મૃત્યું થઇ ગયા છે. અત્યાર સુદીમાં 3 લાખ 47 હજાર 979 લોકો ઠીક થઇ ગયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 20 હજારથી વધારે છે.
અત્યાર સુધીમાં 17 હજાર 400 લોકોના મૃત્યું થયા
3 લાખ 47 હજારથી વધારે દર્દીઓ ઠીક થયા
છેલ્લા 24 કલાકમાં 18 હજાર 653 નવા કેસ સામે આવ્યાં છે જ્યારે 507 લોકોના મૃત્યું થયા છે. ICMR ના આંકડા મુજબ 30 જૂન સુધી દેશમાં 88 લાખ 585 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. એકલા 30 જૂનના રોજ 2 લાખ 17 હજાર 931 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત છે. અહીં કુલ દર્દીઓનો આંકડો 1 લાખ 74 હજાર 761 થઇ ગયો છે. જેમાં 7 હજાર 855 લોકોના મૃત્યું થયા છે, જ્યારે 90 હજારથી વધારે લોકો ઠીક થઇ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા અંદાજે 76 હજાર છે. દિલ્હીમાં કુલ દર્દીઓનો આંકડો 87હજાર 360 છે, જેમાં 2742 લોકોના મૃત્યું થયા છે.
દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોનાના કેસ 5.85 લાખને પાર પહોંચી ગયા છે. ત્યારે ચિંતાનો વિષય એ છે કે દેશમાં મૃત્યનો આંકડો પણ વધી રહ્યો છે. અને અત્યાર સુધી 17 હજાર 400 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 18 હજાર 653 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 507 લોકોના મોત થઈ ચૂક્યા છે. જે એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુનો આંકડો છે. જો કે અત્યાર સુધી 3.47 લાખ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.