કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં થોડો ઘટાડો થયો છે. ગયા સપ્તાહ સુધી દરરોજ સરેરાશ 14-15 હજાર કેસ આવી રહ્યા હતા. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 10 હજાર થઈ ગઈ છે. દેશભરમાં સૌથી વધુ કર્ણાટકમાં 1121 કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં 836 નવા કેસ નોંધાયા છે.
દેશભરમાં સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ચિંતા વધુ
ગત 24 કલાકમાં દેશમાં નોંધાયા 9062 નવા કેસ
છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના 9062 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 36 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,05,058 થઈ ગઈ છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી દર 2.49 ટકા પર પહોંચી ગયો છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સોમવારની સરખાણીએ મંગળવારે વધુ કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના આંકડા ચિંતાનજક છે.
#COVID19 | India reports 9,062 fresh cases and 15,220 recoveries in the last 24 hours.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગત દિવસ કરતા નજીવો વધારો આવ્યો છે. આજે નવા કોરોનાના વધુ 425 કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. 663 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3480 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 20 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આજે કોરોનાને લીધે એક દર્દીનું મૃત્યુ થયું છે.
13 દિવસમાં 3331 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીમાં 9966 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે અને 22 લોકોના મોત થયા છે. જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 546 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
મહારાષ્ટ્રની સ્થિતિ
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના ચેપના 836 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા કરતા 353 ઓછા છે. જ્યારે રાજ્યમાં ચેપને કારણે વધુ બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં ચેપના કુલ કેસ વધીને 80,74,365 થયા છે, જ્યારે મૃત્યુઆંક 1,48,174 પર પહોંચી ગયો છે. મુંબઈમાં 332 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં મંગળવારે મુંબઈમાં પણ બંને દર્દીઓના મોત થયા હતા. રાજ્યનો કોવિડ-19 મૃત્યુદર 1.83 ટકા હતો, જ્યારે રિકવરી રેટ 98.02 ટકા હતો. છેલ્લા 24 કલાકમાં, 1,224 દર્દીઓએ ચેપને માત આપી છે, અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 79,14,433 દર્દીઓ સ્વસ્થ થયા છે.
દિલ્હીમાં સંક્રમણ દર 19.20 ટકા
મંગળવારે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 917 કેસ નોંધાયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા. આ દરમિયાન, દૈનિક સંક્રમણ દર 19.20 ટકા નોંધાયો હતો. હેલ્થ બુલેટિન અનુસાર, મંગળવારે દિલ્હીમાં આ નવા કેસ સાથે, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 19,86,739 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 26,392 દર્દીઓ સંક્રમણને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે હાથ ધરવામાં આવેલા 4,775 નમૂનાઓના પરીક્ષણમાં 917 નવા કેસ નોંધાયા છે. સોમવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં 14.57 ટકાના દૈનિક સંક્રમણ દર સાથે 1,227 કેસ નોંધાયા હતા, જ્યારે આઠ દર્દીઓ ચેપથી મૃત્યુ પામ્યા હતા.
રાજસ્થાનમાં પણ કેસ વધી રહ્યા છે
રાજસ્થાનમાં મંગળવારે કોરોના વાયરસથી સંક્રમિત વધુ ત્રણ દર્દીઓના મોત થયા છે, જ્યારે 191 નવા કેસ નોંધાયા છે. સવાઈ માધોપુર, જયપુર અને શ્રીગંગાનગરમાં કોરોના વાયરસથી સંક્રમિત દરેક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં આ જીવલેણ બીમારીને કારણે અત્યાર સુધીમાં 9596 લોકોના મોત થયા છે. રાજ્યમાં 191 નવા કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ સાથે કોરોના દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 13,02,114 પર પહોંચી ગઈ છે, જ્યારે હાલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 4131 થઈ ગઈ છે. 191 નવા દર્દીઓમાંથી 75 જયપુરમાં, 27 ઉદયપુરમાં, 24 પ્રતાપગઢમાં, 13 અલવરમાં અને 11 જોધપુરમાં છે.