125 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા મામલા નોંધાયા તો 374 લોકોના મોત થયા છે.
125 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા મામલા
24 કલાકમાં 30 હજાર 93 નવા મામલા નોંધાયા
24 કલાકમામ 374 લોકોના મોત થયા
125 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા મામલા
દેશમાં આજે 125 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા 30 હજાર 93 નવા મામલા નોંધાયા છે. દેશમાં રિકવરી રેટ વધીન 97.37 ટકા થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે. દેશમાં કાલે 374 લોકોના મોત થયા છે. જાણો દેશમાં કોરોની સ્થિતિ શું છે.
સક્રિય મામલાની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા તાજા આંકડા મુજબ દેશમાં હાલ કુલ પોઝિટિવ મામલાની સંખ્યા 3 કરોડ 11 લાખ 74 હજાર 322 થઈ ગઈ છે. 374 નવા મોત બાદ કુલ મોતની સંખ્યા 4 લાખ 14 હજાર 482 થઈ ગઈ છે. દેશમાં 45 હજાર 254 લોકો સાજા થયા છે. જેના કારણે સાજા થનારાનો આંક 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થયા છે. દેશમાં સક્રિય મામલાની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130 છે.
રસીકરણનો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 થયો
ઉલ્લેખનીય છે કે દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 52 લાખ 67 હજાર 309 રસીના ડોઝ લગાવાયા છે. જે બાદ કુલ રસીકરણનો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 થઈ ગયો છે. આઈસીએમઆરે ટ્વીટ કરી જાણકારી આપી છે કે ભારતમાં કાલે કોરોના વાયરસના 17 લાખ 92 હજાર 336 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે બાદ કાલ સુધી કુલ 44 કરોડ 73 લાખ 41 હજાર 133 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કેરળમાં સૌથી વધારે મામલા આવી રહ્યા છે
દેશમાં દક્ષિણ રાજ્ય કેરળ આ સમયે કોરોનાની મહામારીથી સૌથી વધારે ત્રસ્ત છે. જ્યાં રોજ નવા મામલાની સંખ્યા 10 હજારથી વધારે નોંધાઈ રહી છે. કેરળમાં કોરોનાની સ્પીડ વધી રહી છે અને આનો અંદાજો ફક્ત એ વાતથી લગાવી શકાય છે કે રાજ્યમાં સંક્રમણ દર અનેક અઠવાડિયાથી 10 ટકાની આસપાસ હતો. જે વધીને 11.08 ટકા થયો છે. કેરળમાં સોમવારે સંક્રમણના 9931 નવા મામલા સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા 31 લાખ 70 હજાર 868 છે . રાજ્યમાં મહામારીના કારણે 58 અને લોકોના મોત થયા છે. જે બાદ સંક્રમણથી મરનારાની સંખ્યા વધીને 15 હજાર 408 થઈ ગઈ છે.