દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 8392 કેસ સામે આવ્યા છે. આ સિવાય એક જ દિવસમાં 230 દર્દીઓના મોત થયા છે. દેશમાં હાલમાં કુલ કેસની સંખ્યા 1.90 લાખને પાર જોવા મળી રહી છે.
દેશમાં કોરોનાની કુલ સંખ્યા 1.90 લાખને પાર
24 કલાકમાં ફરી નવા કેસે તોડ્યો રેકોર્ડ
છેલ્લા 24 કલાકમાં 8392 નવા કેસ, 230 દર્દીના થયા મોત
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1,90,535 સુધી પહોંચી છે. કુલ મોત 5394 થઈ છે. આ સિવાય 91,819 લોકો ડિસ્ચાર્જ થયા છે. મહારાષ્ટ્રમાં હાલ સુધીમાં 67655 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમાંથી 36040 દર્દીઓની સારવાર થઈ રહી છે. જ્યારે 29329 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 2286 લોકોના મોત નીપજ્યા છે.
Spike of 8,392 new #COVID19 cases & 230 deaths reported in the last 24 hours in India. Total number of cases in the country now at 1,90,535 including 93322 active cases, 91819 cured/discharged/migrated and 5394 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/Gpy6d3rh4r
રાજધાની દિલ્હીમાં 19844 કુલ કેસ સામે આવ્યા છે. તેમાં 10893 કેસ સક્રિય છે. તેમાં 4842 લોકો સાજા થયા છે. જ્યારે 350 લોકોના મોત થયા છે.
યૂપીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 7823 થઈ છે અને 213 લોકોના મોત થયા છે. બિહારમાં 3815, ચંડીગઢમાં 293, છત્તીસગઢમાં 498, ગોવામાં 70, હરિયાણામાં 2091 દર્દીઓ આવ્યા છે. જ્યારે ઝારખંડમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 610 પહોંચી છે.
કોરોના સંક્રમણની સાથે ગુજરાત પણ ઘણું પ્રભાવિત છે. રાજ્યમાં અત્યારસુધી 16779 કેસ સામે આવ્યા છે. આ સાથે મૃત્યુ પામનારની સંખ્યા 1038 સુધી પહોંચી છે. તમિલનાડુમાં 22333 કોરોનાના કેસ છે. તેમાંથી 9403 સક્રિય દર્દી છે. રાજ્યમાં 173ના મોત થયા છે.